સાવરકુંડલામાં શ્રી કે. કે હાઈસ્કૂલ અને એનએસયુઆઈના સંયુક્ત ઉપક્રમે શાળાના પ્રાર્થનખંડમાં એનએસએસ યુનિટની નિયમિત પ્રવૃતિના ભાગરૂપે એક ક્વીઝનું રસપૂર્ણ આયોજન કરવામાં આવ્યું હતું. સ્પર્ધામાં શાળામાં ભણતા ધોરણ ૯ થી ૧૨ ના વિદ્યાર્થીઓની ચાર ટીમો બનાવવામાં આવી હતી. આ ચારેય ટીમોના નામ નચિકેતા, પ્રહલાદ, એકલવ્ય અને ધ્રુવ એવા ભારતના શૂરવીર બાળભક્તો ઉપરથી રાખવામાં આવ્યા હતા. ક્વીઝમાં રિઝનિંગ, વોઇસ, ઇમેઝ અને સોન્ગ તથા જનરલ નોલેજની બઝર રાઉન્ડ દ્વારા રોચક પ્રશ્નોત્તરી રાખી હતી. જેમાં નચિકેતા ટીમ વિજેતા બની હતી. એનએસયુઆઈ દ્વારા વિજેતા બનેલ ટીમને મેમેન્ટો આપી બિરદાવવામાં આવી હતી. આ નચિકેતા ટીમમાં જાદવ ઉમંગ(૯ બ), વાઘેલા ખુશાલ(૧૦ બ), ઝાપડા રેણુકા(૧૧ બ) અને ગોસાઈ દિશા(૧૨ ક) એ ખૂબ જ સુંદર પર્ફોમન્સ આપ્યું હતું. આ સમગ્ર ક્વીઝ સ્પર્ધાની રસપૂર્ણ સ્ક્રિપ્ટ માધ્યમિક વિભાગમાં ફરજ બજાવતા સાયન્સ શિક્ષક અજયભાઈ ચાવડાએ તૈયાર કરી હતી. સમગ્ર ક્વીઝનું સુંદર અને સફળ સંચાલન શાળાના સુપરવાઇઝર કમલેશભાઈ ગોંડલીયાએ કર્યું હતું.