સાવરકુંડલામાં રહેતા અને પત્રકાર તરીકે ફરજ બજાવતાં એક યુવકે મજાક દરમિયાન ગાળો આપવાની ના પાડતાં ઢીકાપાટુનો માર મારવામાં આવ્યો હતો. બનાવ સંદર્ભે અરમાનભાઈ સલીમભાઈ ધાનાણી (ઉ.વ.૨૪)એ ફિરોઝખાન દિલાવરખાન પઠાણ અને અરબાઝ ફિરોઝખાન પઠાણ સામે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ, તેઓ તથા આરોપી બેઠા હતા અને મજાક કરતા હતા. આ દરમિયાન ફિરોઝખાન ગાળો આપવા લાગ્યો હતો. જેથી તેમણે ગાળો આપવાની ના પાડતાં સારું નહોતું લાગ્યું અને ઢીકાપાટુનો માર માર્યો હતો તથા પથ્થર વડે માથાના પાછળના ભાગે મારી ઈજા પહોંચાડી હતી. સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનના એએસઆઈ કિરણભાઈ બકુલભાઈ ગઢવી વધુ તપાસ કરી રહ્યા છે.