સાવરકુંડલામાં એક યુવકનું ઝેરી દવા પીવાથી મોત થયું હતું. બનાવના પગલે પરિવારજનો શોકમગ્ન થઈ ગયા હતા. કેવડાપરામાં રહેતા દિપકભાઈ મધુભાઈ સોલંકી (ઉ.વ.૪૫)એ જાહેર કર્યા મુજબ, તેમના પુત્ર નિતિનભાઈ દિપકભાઈ સોલંકી (ઉ.વ.૧૮)એ અગમ્ય કારણોસર ઝેરી દવા ગટગટાવી હતી. જેના કારણે તેમનું મોત થયું હતું. સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનના એએસઆઈ કે. બી. ગઢવી વધુ તપાસ કરી
રહ્યા છે.