સાવરકુંડલામાં માનવમંદિર ખાતે આજે ભારતીય જનતા પાર્ટીના શહેર તાલુકાના કાર્યકર્તા દ્વારા કેન્દ્રિય મંત્રી અમિતભાઈ શાહના જન્મદિવસ નિમિત્તે ધારાસભ્ય મહેશભાઈ કસવાલાની સૂચના મુજબ મીઠાઈનું મનોરોગી બહેનોને વિતરણ કરવામાં આવેલ. આ તકે અમરેલી જિલ્લા ઉપાધ્યક્ષ શરદભાઈ પંડ્‌યા, સાવરકુંડલા નગરપાલિકા પ્રમુખ મેહુલભાઈ ત્રિવેદી, ઉપપ્રમુખ પ્રતીકભાઈ નાકરાણી, સાવરકુંડલા તાલુકા ભાજપ પ્રમુખ જીવનભાઈ વેકરીયા, શહેર ભાજપ પ્રમુખ પ્રવીણભાઈ સાવજ, શહેર ભાજપ મહામંત્રી રાજેશભાઈ નાગ્રેચા, નગરપાલિકા સદસ્ય તથા સંગઠનના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. તમામ કાર્યકર્તાને માનવમંદિરના ભક્તિરામબાપુ દ્વારા આવકારી સ્નેહભર્યું સ્વાગત કરવામાં આવેલ. મનોરોગી બહેન અંશુ ગુપ્તાએ અમિતભાઈ શાહને તેમના મધુર અવાજમાં જન્મદિવસની શુભકામનાઓ પાઠવી હતી. માનવમંદિરના પૂ. ભક્તિરામબાપુ દ્વારા પણ અમિતભાઈ શાહને જન્મદિવસ નિમિત્તે આશીર્વાદ પાઠવવામાં આવેલ.