સાવરકુંડલામાં નાવલી નદીમાં રિવરફ્રન્ટ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે, પરંતુ વર્ષોથી નાવલી નદીના પટમાં બેસતી આ શાકમાર્કેટનો ઉધ્ધાર ક્યારે થશે તેવો પ્રશ્ન નગરજનો કરી રહ્યા છે. સાવરકુંડલામાં છેલ્લા કેટલાય દસકાઓથી શાક માર્કેટ નદીના પટમાં આવેલ છે. હવે સ્થાનિક ધારાસભ્યના પ્રયાસથી નાવલી નદી પર રિવરફ્રન્ટ બનાવવાનું આયોજન છે, આ શાકમાર્કેટ માટે વ્યવસ્થિત જગ્યાએ અદ્યતન સુવિધાસભર બિલ્ડિંગ બને એ જરૂરી છે. જોકે ભૂતકાળમાં નગરપાલિકા દ્વારા આ સંદર્ભે જેસર રોડ જિંજુડા ગેઈટ ખાતે અને દેવળા ગેઇટ ખાતે શાકમાર્કેટની ઈમારત બનાવેલ હતી, પરંતુ એ સફળ થઇ નથી. તેના કારણોની નોંધ લઈને આ નાવલી નદીમાં બેસતાં શાકભાજી વેપારીઓ માટે કોઈ યોગ્ય સ્થાને સ્થળાંતર કરવું જોઈએ તેવી લોકોની માગણી છે.