સાવરકુંડલામાં ભગવાન પરશુરામ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આજે શ્રીકૃષ્ણ ગૌશાળામાં આયુર્વેદિક ગુણોથી ભરપૂર અડદિયા ગાયોને આપવામાં આવ્યા હતા. આ સેવા કાર્યમાં ટ્રસ્ટના જીગ્નેશભાઈ મહેતા, મુકેશભાઈ જોશી, શૈલેષભાઈ મહેતા, આશિષભાઈ ભટ્ટ, જતીનભાઈ ઠાકર, જયેશભાઈ પંડ્યા, રાજુભાઈ બોરીસાગર વગેરે જોડાયા હતા.