સાવરકુંડલા તાલુકાના લુવારા ગામે છગનભાઈ છીછરાની વાડીના કૂવામાં એક કરુણ ઘટના બની હતી. જેમાં વિશાલ ચંદુભાઈ નાયકા નામના આશરે બે વર્ષના બાળકનું ડૂબી જવાથી મોત નિપજ્યું હતું. ઘટનાની જાણ થતાં જ અમરેલી ફાયર કંટ્રોલરૂમ દ્વારા તાત્કાલિક ફાયર ઓફિસર એચ.સી.ગઢવીની આગેવાની હેઠળ અમરેલી ફાયર ઈમરજન્સી સર્વિસની ટીમ અને સાવરકુંડલા ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. ફાયર વિભાગની ટીમે માત્ર ૧૫ મિનિટની જહેમત બાદ બાળકના મૃતદેહને કૂવામાંથી બહાર
આભાર – નિહારીકા રવિયા કાઢીને સ્થાનિક પોલીસને સોંપ્યો હતો. આ કામગીરીમાં પ્રવીણભાઈ ચૌહાણ, ભગવતસિંહ ગોહિલ, સવજીભાઈ ડાભી, સાગરભાઇ પુરોહિત, જયરાજભાઇ ખુમાણ, રવિરાજભાઈ જેબલિયા અને પ્રદીપભાઈ ખુમાણે મહત્વની ભૂમિકા ભજવી હતી. આ દુઃખદ ઘટનાથી સમગ્ર પંથકમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે.