સાવરકુંડલાના લીખાળા ગામે રહેતા અને વકીલાતનો વ્યવસાય કરતા અમીનભાઈ ભીખુભાઈ સુમરા (ઉ.વ.૩૦)એ વડોદરાના તાંદલજા ખાતે રહેતા રસીદાબેન સાદીકભાઈ પઠાણ સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, આરોપી રસીદાબેનના તેના પતિ સાદીકભાઇ સાથે ડિવોર્સ થાય તેમ હોય તે બાબતે તેઓ તેને ચડામણી કરતો હોય તેવું લાગતું હતું. આ બાબતનું મનદુઃખ રાખી જેમ ફાવે તેમ ગાળો આપી હતી. સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનના એેએસઆઈ જે.વી. અમરેલીયા વધુ તપાસ ચલાવી રહ્યા છે.