દિવાળીના તહેવારો ખૂબ જ નજીક આવી રહ્યા છે ત્યારે સાવરકુંડલામાં શ્રી વીરદાદા જસરાજ સેના ટ્રસ્ટના પ્રતિનિધિઓ દ્વારા માનવ મંદિરની મુલાકાત લઈને બાળકો સાથે એક નાના બાળક બનીને ફટાકડા ફોડવાનો કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે ટ્રસ્ટી ચંદ્રેશભાઈ રવાણી દ્વારા માનવમંદિરે ભક્તિરામ બાપુની નિશ્રામાં હરિના બાળકો સાથે ફટાકડા ફોડીને તેમના વદન પર એક આછેરું સ્મિત લાવવાનો નમ્ર પ્રયાસ કર્યો હતો.તેમની સાથે આ કાર્યમાં હસુભાઈ સૂચક, હિતેશ સરૈયા, અશ્વિનભાઈ સાગર, કનુભાઈ ડોડિયા, અશોકભાઈ ખુમાણ, ભાવેશ બગડા, મહેશ મશરૂ વગેરે ઉપસ્થિત
રહ્યા હતા.