સાવરકુંડલાના બાઢડા ગામે રહેતા પૂર્વ સરપંચને ગાળો બોલીને જાનથી મારવાની ધમકી આપવામાં આવી હતી. બનાવ અંગે શાંતિભાઈ ખોડાભાઈ શેલડીયા (ઉ.વ.૬૫)એ દિપકભાઈ કનુભાઈ રાદડીયા સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, તેમના ભાગીયાના ઘરે જી.ઇ.બી.ની વીજ લાઇનના કોટેશનના રૂ.૫૦,૦૦૦ ભર્યા હતા. તેમ છતાં વીજ લાઇન આવી ન હોતી. તેમજ તેઓ અગાઉ સરપંચ તરીકે હતા. જેથી આ બાબતનું મનદુઃખ રાખી રૂ.૫૦,૦૦૦ પરત આપવા જણાવી ગાળો આપી કપાળ ઉપર થપાટ મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ એચ. પી. વેગડા વધુ તપાસ કરી રહ્યા છે.