સાવરકુંડલા શહેરના દેવળા ગેઈટ વિસ્તારમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના માહોલ વચ્ચે ધારાસભ્ય મહેશભાઈ કસવાલાની અધ્યક્ષતામાં એક વિશાળ જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સભામાં શહેરના વિકાસ કાજે પ્રચંડ જનસમર્થન જોવા મળ્યું હતું. ઉપસ્થિત જનમેદનીને સંબોધતા ધારાસભ્યએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે સાવરકુંડલાના સર્વાંગી વિકાસ, આધુનિક પાયાની સુવિધાઓ અને શહેરના ઉજ્જવળ ભવિષ્ય માટે એક મજબૂત અને દૃષ્ટિવંત નેતૃત્વ અત્યંત અનિવાર્ય છે. તેમણે હાલમાં ચાલી રહેલા વિવિધ વિકાસલક્ષી કાર્યો અને ભવિષ્યના આયોજનોની વિગતવાર માહિતી આપી લોકસંપર્ક સાધ્યો હતો. મહેશભાઈ કસવાલાએ તમામ શહેરવાસીઓને નમ્ર અપીલ કરી હતી કે તેઓ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને ભવ્ય બહુમતીથી વિજયી બનાવી શહેરની પ્રગતિને એક નવી ગતિ અને દિશા આપે. આ જનસભામાં સ્થાનિક આગેવાનો, કર્મઠ કાર્યકર્તાઓ અને મોટી સંખ્યામાં નાગરિકોની ઉપસ્થિતિથી સમગ્ર વાતાવરણ કેસરીયા રંગે રંગાયું હતું અને લોકોમાં ભારે ઉત્સાહ તેમજ ઉર્જાનો સંચાર જોવા મળ્યો હતો.








































