ચમારડી ગામના વતની ગોપાલભાઈ ચમારડીએ પોતાના આજીવન સમાજસેવાના પ્રયાસો દ્વારા ગુજરાતના ઇતિહાસમાં અનન્ય સ્થાન બનાવી લીધું છે. તાલુકા અને ગામ માટે તેમજ આ વિસ્તારના દરેક સમાજના કાર્યક્રમો માટે સતત સક્રિય રહેલા ગોપાલભાઈએ વિશિષ્ટ કામગીરી બજાવી છે. ગોપાલભાઈના આ અહોભાવના પ્રયાસોમાં મુખ્યત્વે ૧,૦૦૦થી વધુ દીકરીઓના સમૂહલગ્નનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, તેમણે રૂ.બે લાખ કરતાં વધુના પોતાના ખર્ચે વૃક્ષો વાવ્યા છે. આ ઉપરાંત તેમણે ૫,૦૦૦ કરતાં વધુ સરદાર વલ્લભભાઈ પટેલના સ્ટેચ્યુ આખા ગુજરાતમાં મૂક્યા છે.