સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના સાડા ચાર લાખ પશુપાલકોની આર્થિક કરોડરજ્જુ સમાન સાબર ડેરીના નિયામક મંડળની ચૂંટણીમાં ગત માર્ચ મહિનામાં યોજાઈ પૂર્ણ થઈ હતી. પરંતુ ચેરમેન અને વાઇસ ચેરમેનના પદ માટેની ચૂંટણી ગૂંચવણમાં હતી અને અનેક વિરોધ પ્રદર્શન પણ યોજાયા હતા. ત્યારબાદ ચૂંટાયેલા નિયામક મંડળના સભ્યો દ્વારા હાઈકોર્ટનું શરણું લેવામાં આવ્યું હતું. ત્યારબાદ હાઈકોર્ટે જિલ્લા કલેક્ટરને ૨૧ દિવસમાં ચૂંટણી યોજી દેવા માટેનું સૂચન કરતા જિલ્લા પ્રશાસન દ્વારા ચૂંટણી અંગેનું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું.
આજે સાબર ડેરીના બોર્ડ રૂમ ખાતે ચેરમેન અને વાઇસ ચેરમેન પદ માટેની ચૂંટણી યોજવામાં આવી હતી. જેમાં સાબર ડેરીના વર્તમાન ચેરમેન શામળભાઈ પટેલને ફરી એકવાર ચેરમેન પદ માટે બિનહરિફ વરણી કરવામાં આવી હતી. તો બીજી તરફ વાઇસ ચેરમેન પદ માટે વડાલી બેઠકના સભ્ય ઋતુરાજ પટેલની બિનહરિફ વરણી કરવામાં આવી હતી.
સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના લાખો પશુપાલકોની સીધી નજર સાબર ડેરીના ચેરમેન અને વાઇસ ચેરમેન પદની ચૂંટણી પર મંડાયેલી હતી. જાકે સહકારી રાજકારણમાં છેલ્લા ત્રણ દિવસથી ગરમાવો જાવા મળી રહ્યો હતો અને અનેક અટકળો પણ ચાલી રહી હતી. જાકે તમામ અટકળોનો આજે અંત આવ્યો, જેમાં ચૂંટણી અધિકારીઓની હાજરીમાં બંનેની બિનહરિફ વરણી પણ કરવામાં આવી હતી.
આજે ચેરમેન પદ માટે શામળભાઈ પટેલ અને વાઈસ ચેરમેન પદ માટે ઋતુરાજ પટેલનું એક-એક ફોર્મ ભરાયું હતું. જેના કારણે ચૂંટણી અધિકારીઓની હાજરીમાં બંનેની બિનહરિફ વરણી કરાઈ હતી. જાકે સાબર ડેરીના નિયામક મંડળની માર્ચ ૨૦૨૪માં ચૂંટણી યોજાઈ હતી. જેમાં ૧૫ સભ્યો બિનહરિફ ચૂંટાયા હતા. જ્યારે એક સભ્ય માટે ચૂંટણી યોજાઈ હતી અને ત્યારબાદ ચેરમેન અને વાઇસ ચેરમેન પદ માટેની ચૂંટણી ગૂંચમાં હતી. જાકે અત્યાર સુધી બંને જિલ્લામાં અનેક પ્રકારની અટકળો ચાલી રહી હતી. જેનું આજે ચૂંટણીનું પરિણામ જાહેર થયા બાદ તમામ અટકળોનો અંત આવ્યો છે. સાબર ડેરીના ચેરમેન પદે શામળભાઈ પટેલ સતત ત્રીજી વાર સાબર ડેરીનું સુકાન સંભાળશે. જાકે વાઇસ ચેરમેન પદ પર ચૂંટાઈ આવેલા ઋતુરાજ પટેલ પ્રથમવાર સાબર ડેરીના ડિરેક્ટર બન્યા હતા અને પ્રથમ ટર્મમાં જ તેઓને પદ પર બિનહરિફ વરણી કરવામાં આવી છે.