આ વર્ષે બોર્ડર ગાવસ્કર ટ્રોફીમાં ૧-૩થી મળેલી હાર અને સિરીઝ દરમિયાન ડ્રેસિંગ રૂમની વાતો લીક થવા પર ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે મોટી કાર્યવાહી કરી છે. બોર્ડે સહાયક કોચ અભિષેક નાયરને બહાર કર્યો છે, જ્યારે તેનો કાર્યકાળ ૮ મહિના પહેલા શરૂ થયો હતો. તમને જણાવી દઈએ કે બોર્ડર ગાવસ્કર ટ્રોફી હાર્યા બાદ બીસીસીઆઈએ રિવ્યુ મીટિંગ કરી હતી, તેમાં ટીમ મેનેજમેન્ટના એક સભ્યએ ફરિયાદ કરી હતી કે ડ્રેસિંગ રૂમના સમાચાર બહાર આવી રહ્યાં છે.
સુત્રો અનુસાર, સહાયક કોચ અભિષેક નાયર સિવાય ભારતીય ટીમના ફિલ્ડિંગ કોચ ટી દિલીપ અને ટ્રેનર સોહમ દેસાઈને પણ બરતરફ કરવામાં આવ્યા છે. રિપોર્ટમાં સૂત્રોના હવાલાથી કહેવામાં આવ્યું છે કે નાયરની જગ્યાએ કોઈની નિમણૂક કરવામાં આવશે નહીં કારણ કે સિતાંશુ કોટક ટીમ ઇન્ડિયા સાથે બેટિંગ કોચ તરીકે પહેલાથી જ જાડાયેલા છે. દિલીપનું કામ આસિસ્ટન્ટ કોચ રેયાન ટેન ડેસ્કેટ દ્વારા જાવામાં આવશે.
ટ્રેનર સોહમ દેસાઈની જગ્યા એડ્રિયન લિ રૂ લેશે, જે અત્યારે આઈપીએલ ટીમ પંજાબ કિંગ્સ સાથે જાડાયેલા છે. તે ૨૦૦૮થી ૨૦૧૯ સુધી કેકેઆર સાથે જાડાયેલા રહ્યા, તેણે ૨૦૦૨થી ૨૦૦૩ સુધી ટીમ ઇન્ડિયાની સાથે કામ કર્યું હતું. તેનો બીસીસીઆઈ સાથે કરાર થઈ ગયો છે.
બોર્ડર-ગાવસ્કર ટ્રોફી ભારતીય ટીમ ૧-૩થી હારી હતી. આ સિરીઝ વચ્ચે અશ્વીને નિવૃત્તિ લઈ લીધી હતી. રોહિત શર્માએ સિડની ટેસ્ટમાં ખુદને બહાર કરી લીધો હતો, ત્યારે આશંકા વ્યક્ત કરવામાં આવી રહી હતી કે ટીમની અંદર બધુ બરાબર નથી. ભારતીય ડ્રેસિંગ રૂમના સમાચાર પણ બહાર આવી ગયા હતા, જેથી મામલો વધુ ગરમાયો હતો. એક સભ્યએ તેની ફરિયાદ બીસીસીઆઈને કરી હતી. આ પહેલા ટીમે ઘરઆંગણે ન્યૂઝીલેન્ડ સામે પણ ટેસ્ટ સિરીઝ ગુમાવી હતી.















































