ગુજરાત પ્રદેશ ભારતીય જનતા યુવા મોરચાના ઉપાધ્યક્ષ મનીષ સંઘાણીના માર્ગદર્શન હેઠળ સરદાર પટેલ ગ્રુપ દ્વારા અમરેલી ખાતે રાહત દરે ચોપડા વિતરણનો શુભારંભ કરવામાં આવ્યો હતો. જેમાં હાલની મોંઘવારીને ધ્યાનમાં રાખી અને સારી કવોલિટી મળી રહે તેવા હેતુથી અમરેલીની જનતા માટે રાહત દરે ચોપડા વિતરણનું આયોજન સરદાર પટેલ ગ્રુપ દ્વારા કરવામાં આવ્યું છે કે જૂજ સ્ટોક હાજરમાં હોય વહેલા તે પહેલા સસ્તા અને સારા ગુણવત્તાયુક્ત ચોપડા મેળવવા માટે અમરેલી જીલ્લા સહકારી સંઘ લાયબ્રેરીની બાજુમાં, સરદાર પટેલ ક્રેડિટ કો ઓપેરેટિવ સોસાયટી લી. ભીડભંજન સામે અને અમરેલી ખેડૂત ઉત્પાદક અને રૂપાંતર સહકારી મંડળી જેશિંગપરા ખાતેથી વેચાણ કરવામાં આવી રહ્યું છે.