જગનની પાર્ટી કાર્યાલય જમીનદોસ્ત થઈ ગયું
(એ.આર.એલ),હૈદરાબાદ,તા.૨૨
આંધ્ર પ્રદેશ કેપિટલ રિજન ડેવલપમેન્ટ ઓથોરિટી અને મંગલાગિરી તાડેપલ્લી મ્યુનિસિપલ કોર્પોરેશને શનિવારે સવારે વાયએસઆરસીપી પાર્ટીની એક નિર્માણાધીન ઓફિસ તોડી પાડી.રિપોર્ટ્‌સ અનુસાર, આ ઈમારત સીતાનગરમના બોટ યાર્ડ કોમ્પ્લેક્સમાં ઇજી નંબર ૨૦૨-એ-૧માં ૮૭૦.૪૦ ચોરસ મીટરની કથિત રીતે ગેરકાયદે કબજે કરેલી જમીન પર હતી.આંધ્ર પ્રદેશ સરકારે એવા સમયે વાયએસઆરસીપી પાર્ટી કાર્યાલયને બુલડોઝ કર્યું છે જ્યારે પાર્ટીએ તાજેતરમાં આંધ્ર પ્રદેશ કેપિટલ રિજન ડેવલપમેન્ટ ઓથોરિટીની પ્રારંભિક કાર્યવાહીને પડકારતી હાઈકોર્ટનો સંપર્ક કર્યો હતો. કોર્ટે કોઈપણ પ્રકારની બુલડોઝિંગની કાર્યવાહી અટકાવવાનો આદેશ આપ્યો હતો.શુક્રવારે પક્ષના જિલ્લા પ્રમુખ એમ શેષાગિરી રાવે આંધ્રપ્રદેશ હાઈકોર્ટમાં એક રિટ અરજી દાખલ કરી હતી જેમાં અદાલતને રાજ્ય સરકાર, સીઆરડીએ અને એમટીએમસીને સુનાવણી પૂરી ન થાય ત્યાં સુધી બિલ્ડંગ સામે કોઈ પગલાં ન લેવાનો આદેશ આપવા જણાવ્યું હતું. ચંદ્રબાબુ નાયડુ સરકારની આ કાર્યવાહી પર વાયએસઆરસીપી પાર્ટીએ કહ્યું છે કે ટીડીપી બદલાની રાજનીતિ કરી રહી છે.વાયએસઆરસીપીએ એક નિવેદન જારી કરીને કહ્યું છે કે હાઈકોર્ટના આદેશ છતાં બાંધકામ હેઠળની ઓફિસ તોડી પાડવામાં આવી હતી. નાયડુ સરકારનું આ પગલું કોર્ટની અવમાનના છે. કોર્ટે ડિમોલિશનની કોઈપણ પ્રવૃતિ રોકવાનો આદેશ આપ્યો હતો. વાયએસઆરસીપીના વકીલ દ્વારા સીઆરડીએ કમિશનરને પણ આ આદેશ આપવામાં આવ્યો હતો. જાકે, સીઆરડીએએ ડિમોલિશનની પ્રક્રિયા ચાલુ રાખી હતી.આંધ્રપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી જગન મોહન રેડ્ડીએ ટીડીપીના વડા અને મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુ પર રાજકીય બદલો લેવાનો આરોપ લગાવ્યો છે. રેડ્ડીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખ્યું કે ગાયબ થઈ ગયો.ચૂંટણી બાદ હિંસક ઘટનાઓ બાદ ચંદ્રાબાબુ નાયડુ લોહીલુહાણ કરી રહ્યાં છે. આ ઘટના દ્વારા આગામી પાંચ વર્ષ સુધી શાસન કેવું રહેશે તેવો હિંસક સંદેશ આપવામાં આવી રહ્યો છે. વાયએસઆર કોંગ્રેસ પાર્ટી આ ધમકીઓ સામે ઝૂકશે નહીં કે કોઈ પ્રતિશોધાત્મક પગલાં લેશે નહીં અને પાછળ હટશે નહીં. અમે લોકો વતી, લોકો માટે અને લોકો સાથે મજબૂતીથી લડીશું. હું દેશના તમામ લોકશાહી સમર્થકોને ચંદ્રાબાબુના આ બદલાની કાર્યવાહીની નિંદા કરવા વિનંતી કરું છું.”