લોકસભાની ચૂંટણીમાં મહત્તમ મતદાન થાય અને ત્રીજી વખત વડાપ્રધાન તરીકે મોદી શપથ લે, તેમજ જિલ્લાના વિકાસના કામને આગળ લઈ જવા માટે સામૂહિક રીતે સમજદારી, વફાદારી અને જવાબદારી પૂર્વક આગળ વધી શકે તે માટે સમસ્ત અમરેલી વેપારી મહાજનોનો સ્નેહમિલન સમારોહ યોજાશે. આજરોજ સાંજના ૬ કલાકે હનુમાનપરામાં કડવા પટેલની વાડી ખાતે યોજાનારા સ્નેહમિલન કાર્યક્રમમાં પધારવા તમામ વેપારીઓને જણાવાયું છે.