સાહિત્ય અને કલાના ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ પ્રદાન બદલ સંસ્કાર ભારતી ગુજરાત પ્રાંત દ્વારા આપવામાં આવતા પ્રતિષ્ઠિત ‘સંસ્કાર પુરસ્કાર-૨૦૨૪’થી બગસરાના જાણીતા કવિ સ્નેહી પરમારને નવાજવામાં આવ્યા છે. તાજેતરમાં આંબેડકર યુનિવર્સિટી, અમદાવાદ ખાતે યોજાયેલા એક ભવ્ય સમારોહમાં ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના હસ્તે કવિ સ્નેહી પરમારને આ સન્માન અર્પણ કરવામાં આવ્યું. સાહિત્ય વિભાગમાં તેમની ઉત્કૃષ્ટ કામગીરીને બિરદાવતા ‘સંસ્કાર વિભૂષણ માનપત્ર’ પણ તેમને એનાયત કરવામાં આવ્યું. કાર્યક્રમમાં વિશેષ ઉપસ્થિત રહેલા પદ્મશ્રી જોરાવરસિંહજી જાદવે પણ કવિ સ્નેહી પરમારનું સન્માન કર્યું હતું.