અલ્લુ અર્જુન આ દિવસોમાં તેની ફિલ્મ ‘પુષ્પા ૨’ને લઈને ઘણા સારા અને વિવાદાસ્પદ કારણોસર ચર્ચામાં છે. આજે, ૩૦ ડિસેમ્બરે, અભિનેતાને તેની ફિલ્મના પ્રીમિયર દરમિયાન ભાગદોડમાં એક મહિલાના મૃત્યુના કેસમાં વીડિયો કોન્ફરન્સ દ્વારા હૈદરાબાદની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. આ કેસમાં આરોપી અર્જુને હાઈકોર્ટમાંથી વચગાળાના જામીન મળ્યા બાદ રેગ્યુલર જામીન માટે અરજી કરી હતી, પરંતુ સુનાવણી બાદ હજુ સુધી નિર્ણય આવ્યો નથી. સંધ્યા થિયેટર કેસમાં કોર્ટે અલ્લુ અર્જુનના નિયમિત જામીન પરનો નિર્ણય ત્રણ દિવસ માટે મુલતવી રાખ્યો છે.
૧૩ ડિસેમ્બરે ધરપકડ કરાયેલા અલ્લુ અર્જુનને તેલંગાણા હાઈકોર્ટે એક દિવસ પછી ચાર અઠવાડિયા માટે વચગાળાના જામીન આપ્યા હતા. ૪ ડિસેમ્બરે સંધ્યા થિયેટરમાં નાસભાગ મચી હતી, જેમાં મહિલાનો પુત્ર ઘાયલ થયો હતો. અલ્લુ અર્જુન, તેની સુરક્ષા ટીમ અને થિયેટર મેનેજમેન્ટ સામે કેસ નોંધવામાં આવ્યા હતા. આજે નામપલ્લી કોર્ટમાં અલ્લુ અર્જુનની જામીન અરજી પર સુનાવણી થઈ. પોલીસે અલ્લુ અર્જુનની જામીન અરજી સામે કાઉન્ટર દાખલ કર્યું હતું. હવે કોર્ટ ત્રણ દિવસ પછી ૩જી જાન્યુઆરીએ અલ્લુ અર્જુનના નિયમિત જામીન પર નિર્ણય જાહેર કરવા જઈ રહી છે.
અલ્લુ અર્જુનના વકીલ સિનિયર કાઉન્સેલ નિરંજન રેડ્ડીએ તેમની જામીન અરજી પર દલીલ કરી હતી. જ્યારે પÂબ્લક પ્રોસિક્યુશન દ્વારા અલ્લુ અર્જુનની જામીન અરજી ફગાવવાની માંગ કરવામાં આવી હતી. બંને પક્ષોની દલીલો પૂર્ણ થયા બાદ નામપલ્લી કોર્ટે ચુકાદો ૩ જાન્યુઆરી સુધી મુલતવી રાખ્યો હતો. સંધ્યા થિયેટર કેસમાં અલ્લુ અર્જુનની જામીન અરજી પર નામપલ્લી કોર્ટમાં સુનાવણી થઈ. અલ્લુ અર્જુનને હાઈકોર્ટ દ્વારા વચગાળાના જામીન મળી ચૂક્યા છે, પરંતુ હવે તેણે નિયમિત જામીન માટે અરજી કરી છે. પોલીસે અલ્લુ અર્જુનની જામીન અરજી સામે કાઉન્ટર દાખલ કર્યું છે અને આ કેસમાં બે પક્ષકારોએ તેમના મંતવ્યો રજૂ કર્યા છે