સૈફ અલી ખાન પર છરીના હુમલા બાદ, બોલિવૂડના ઘણા સેલિબ્રિટી તેમની તબિયત જાણવા માટે હોસ્પિટલ પહોંચ્યા હતા. સોમવારે અભિનેતા સંજય દત્ત પણ તેમના સ્વાસ્થ્યની પૂછપરછ કરવા લીલાવતી હોસ્પિટલ પહોંચ્યા હતા. સંજય દત્તને હોસ્પિટલ જતા જાવામાં આવ્યા.
હોસ્પિટલમાં પહોંચ્યા પછી, સંજય દત્ત સૈફ અલી ખાનને મળ્યા અને તેમની તબિયત પૂછી. સૈફ અલી અને સંજય દત્તે ઘણી ફિલ્મોમાં સાથે કામ કર્યું છે. બંને ઘણીવાર સાથે જાવા મળે છે. હાલમાં સૈફ તેની ઇજાઓમાંથી સ્વસ્થ થઈ રહ્યો છે. લીલાવતી હોસ્પિટલના ડો. નીતિન ડાંગેએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે અભિનેતાને વધુ એક દિવસ નિરીક્ષણ હેઠળ રાખવામાં આવશે અને તેમને રજા આપવાનો નિર્ણય આગામી એકથી બે દિવસમાં લેવામાં આવશે.
બીજી તરફ, સોમવારે, અભિનેત્રી કરીના કપૂરે તેના બાંદ્રા સ્થિત ઘરના વીડિયો શૂટ કરવા બદલ પાપારાઝીને ચેતવણી આપી હતી. “હવે આ બંધ કરો દયા કરો… ભગવાનની ખાતર અમને એકલા છોડી દો,” તેણીએ તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર લખ્યું. જાકે, થોડીવારમાં જ તેમણે આ પોસ્ટ હટાવી દીધી.
સૈફ અલી ખાન પર મુંબઈના બાંદ્રા સ્થિત તેમના નિવાસસ્થાને હુમલો થયો હતો. હુમલાખોરે સૈફ પર છરીઓ વડે અનેક વાર હુમલો કર્યો. પોલીસે આરોપીની ધરપકડ કરી છે અને તેની ઓળખ મોહમ્મદ શરીફુલ ઇસ્લામ શહજાદ તરીકે થઈ છે. કથિત રીતે, આરોપી શહેઝાદ ચોરીના ઇરાદાથી અભિનેતાના ઘરમાં ઘુસ્યો હતો. હુમલાખોરે પહેલા ઘરમાં રહેતી નોકરાણી સાથે દલીલ કરી. આ પછી, અવાજ સાંભળીને સૈફ અલી ખાન ત્યાં પહોંચ્યો અને હુમલાખોરે અભિનેતા પર છરી વડે હુમલો કર્યો.