સાવરકુંડલા ખાતે આવેલી શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે રાજકોટથી આવેલી આઈપીએસ અધિકારી, પૂર્વ ભારતીય જનતા પાર્ટીના નેતા રમેશભાઈ ધડુક, ચેતનભાઈ રામાણી અને અન્ય રાજકીય મહાનુભાવોએ શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ, સાવરકુંડલાની મુલાકાત લીધી હતી. આ પ્રસંગે પ.પુ. શાસ્ત્રી સ્વામી, શ્રી હરિપ્રસાદદાસજી સાથે ધર્મ અને સમાજ વિષયક વિવિધ મુદ્દાઓ પર ઉંડાણપૂર્વકની ચર્ચા કરવામાં આવી હતી. મુલાકાત દરમિયાન મહાનુભાવોએ ગુરુકુળની વિવિધ
પ્રવૃત્તિઓનું નિરીક્ષણ કર્યું હતું. વિદ્યાર્થીઓના શૈક્ષણિક, સાંસ્કૃતિક અને આધ્યાત્મિક વિકાસ માટે ગુરુકુળમાં કરવામાં આવતા પ્રયત્નોને તેમણે ખૂબ જ સરાહના કરી હતી. રમેશભાઈ ધડુકે જણાવ્યું હતું કે શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ જેવી સંસ્થાઓ સમાજના નિર્માણમાં ખૂબ મહત્વનો ભાગ ભજવે છે.