લોકસભા ચૂંટણી ૨૦૨૪માં ચોથા તબક્કાના વોટીંગની વચ્ચે કેન્દ્રીય ગૃહમંત્રી શાહે શેર બજારને લઈને મોટી ભવિષ્યવાણી કરી છે. તેમણે કહ્યું કે, જા સરકાર સ્થિર રહેશે તો માર્કેટ જરૂરથી ઉપર જશે. ચૂંટણી અને શેર બજારની ગતિવિધિઓને મિક્સ ન કરવી જાઈએ.
શાહે કહ્યું, “શેર બજારના ઘટાડાને ચૂંટણી સાથે ન જા઼ડવો જાઈએ પરંતુ જા હજી પણ આવી અફવાઓ છે, તો હું તમને ૪ જૂન પહેલા (શેર) ખરીદવાનું સૂચન કરીશ એટલા માટે કહું છું કે અમે ૪૦૦થી વધુ સીટો જીતવા જઈ રહ્યા છીએ અને સ્થિર મોદી સરકાર સત્તામાં રહેશે.
શાહે રાયબરેલીથી કોંગ્રેસના ઉમેદવાર રાહુલ ગાંધીને પાંચ સવાલ કર્યા હતા અને આના પર રાયબરેલીની જનતાને જવાબ આપવા કહ્યું હતું. તેમણે કહ્યું કે, “મોદીજીએ ત્રણ તલાકને ખતમ કરી દીધા તો તે સારું છે કે ખરાબ, રાહુલ બાબાએ રાયબરેલીની જનતાને સ્પષ્ટતા કરવી જાઈએ કે શું તેઓ ત્રણ તલાક પાછા લાવવા માંગે છે. શું મુસ્લિમ પર્સનલ લોને બદલે યુનિફોર્મ સિવિલ કોડ (યુસીસી) હોવો જાઈએ? રાહુલ બાબાએ કહ્યું પર્સનલ લો લાવીશ, રાયબરેલીનો જવાબ આપો . સર્જિકલ સ્ટ્રાઈકનો ઉલ્લેખ કરતા શાહે પૂછ્યું કે, રાહુલ બાબા તમે સર્જિકલ સ્ટ્રાઈકનું સમર્થન કરશો કે નહીં? આ અંગે પોતાનું વલણ સ્પષ્ટ કરો. અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાના આમંત્રણની યાદ અપાવતા શાહે પૂછ્યું કે, તમે રામ મંદિરના દર્શન કરવા કેમ ન ગયા, સ્પષ્ટતા કરો. શાહે કહ્યું, રાહુલ બાબાએ રાયબરેલીના લોકોને જણાવવું જાઈએ કે તમે કલમ ૩૭૦ હટાવવાનું સમર્થન કરો છો કે નહીં?