દેશના સાંસ્કૃતિક વારસા અને માનવ જીવન ઉપર પશ્ચિમી સંસ્કૃતિ હાવી થઈ ગઈ છે. જેનો હિન્દુસ્તાન વિરોધ કરતો એ જીવનશૈલી વર્તમાન સમયે સ્વીકાર્ય બની ગઈ છે. જેના માઠા પરિણામો આપણે ભોગવતા થયા છીએ. વર્ણ વ્યવસ્થા, વ્યવસાય વ્યવસ્થા, પરિવાર વ્યવસ્થા પડી ભાંગવાના આરે આવીને ઉભી છે. ગાયમાતા વિશે લોકો ઘણુબધું જાણે છે. ગાય એ પુજનીય છે. પરંતુ વર્તમાન સમયમાં સ્વાર્થી માનવીઓએ ગાય અને ગૌ વંશ રખડતા મુકી દીધા છે. ગાય દુધ આપતી બંધ થાય અને બળદ ખેતી કામમાંથી વૃધ્ધ થાય એટલે રસ્તે રઝળતા મુકી દેવામાં આવે છે. શિયાળામાં ઠંડી ઉનાળામાં તાપ અને ચોમાસામાં વરસાદ આ બધુ સહન કરીને રોટલાના ટુકડા માટે ઘર-ઘર ભટકીતી ગાયો આજે લાકડીના દંડા ખાય રહી છે, બસ એવું જ માનવીનું છે. વૃધ્ધ થયા પછી વૃધ્ધાશ્રમ જેવું વાવો તેવું લણો અને જેવુ કરો તેવુ ભરો. બાળપણથી ગાયો અને ગૌવંશ પ્રત્યે અપાર પ્રેમ ધરાવતા આશિષ કિશોરભાઈ વોરા. રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાનાં શિવરાજગઢ ગામના નવ લોહિયો યુવાન છે. બી.ઈ. ઈલેકટ્રીક્સ એન્જીનીયર સુધીનો અભ્યાસ આ રાષ્ટ્રપ્રેમી યુવાન ધરાવે છે. એક સાંજે પોતાના પિતા કિશોરભાઈ પાસે આવીને આશિષ વાત કરે છે. પપ્પા મારે નોકરી નથી કરવી પણ મારે કંઈક એવો વ્યવસાય કરવો છે. જેના હિસાબે ગૌવંશની પણ સેવા થઈ શકે. વાત સાંભળી કિશોરભાઈએ આશિષને હુફ અને હિંમત આપી આગળ વધો અને તમારા સપના સમાજ અને રાષ્ટ્ર માટે સાકાર કરો. નવા સ્ટાર્ટઅપ બિઝનેસની શોધમાં આશિષના ધ્યાને ભારત સરકારનાં કેન્દ્રીય મંત્રીશ્રી નિતિન ગડકરીની વાત ધ્યાને આવી ‘‘ગાયના ગોબરમાંથી પેઈન્ટ્‌સ’’ ઈકો ફ્રેન્ડલી પેઈન્ટ્‌સ અને ગૌ સેવા આ વિષયમાં પુરતી માહિતી અને માર્ગદર્શન મેળવીને પોતાનો પ્રાકૃતિક પેઈન્ટ્‌સનો વ્યવસાય નિરાલી પેઈન્ટ્‌સનાં નામથી શરૂ કર્યો. ખાદી અને ગ્રામો ઉદ્યોગ વિભાગ તરફથી મદદ મળી. આજે પોતાની પાસે ૧૦ ગાયો છે. તેના છાણમાંથી પેઈન્ટ્‌સ બનાવે છે. વધારે ગાયનાં છાણની જરૂરીયાત ઉભી થાય તો આજુબાજુની ગૌશાળામાંથી મેળવે છે. ઈકો ફ્રેન્ડલી અને પ્રાકૃતિક કલર(પેઈન્ટ્‌સ) વિશે માહિતી આપતા આશિષભાઈ જણાવે છે કે, બજારમાં મળતા કેમિકલ્સ કલરો જેટલી જ આ કલરની ટકાવ શÂક્ત છે. અને એટલી જ લાઈટ કવરેજ છે. ઉપરાંત આઠ જેટલા ફાયદાઓ છે. સંપૂર્ણ ઈકો ફ્રેન્ડલી છે. એન્ટી બેકટરીયલ્સ છે. ફુગ અને વિજાણુ શોધ છે. આમા કોઈ કેમિકલ્સ નથી એટલે ઝેરી રસાયણ મુક્ત છે. ઉપરાંત આશિષભાઈ વાત કરતા કહે છે. કેમિકલ્સ આધારીત કલરો આપણી ઓફિસ, ઘર, બંગલામાં કરીએ છીએ. ત્યારે શરૂઆતનાં ૪ થી પ મહિના સુધી કલરની ગંધ આવે છે. ઉપરાંત શરૂઆતનાં દિવસોમાં આંખોમાં પણ બળતરા થાય છે. પરંતુ આ પ્રાકૃતિક કલર ગંધ રહિત છે. ઉપરાંત આંખોમાં પણ બળતરા થતી નથી. આ ઉપરાંત આપણા દાદા-પરદાદાઓ ગામડા કે શહેરોમાં વર્ષો પહેલા રહેતા ત્યારે સિમેન્ટ ક્રોકેન્ટનાં જંગલો ન હતા. એ.સી. કે પંખા ન હતા છાણ એ માટીની દિવાલો હતી. જેમાં શિયાળા દરમ્યાન કુદરતી રીતે ઠંડી સામે રક્ષણ મળતુ અને ઉનાળામાં ઠંડક રહેતી આ વાત આજની પશ્ચિમી સંસ્કૃતિ અને મોબાઈલની લતે ચડેલી યુવા પેઢી ભૂલી ગઈ છે. ત્યારે આ પ્રાકૃતિક કલર ઠંડક આપે છે. ન્યુ સ્ટાર્ટઅપનાં પ્રેરણા સ્ત્રોત આશિષભાઈ વોરાનાં સંપર્ક નં.૯૮ર૪૩ ૩૦૩ર૭ છે.