શિક્ષક ભરતી કૌભાંડ કેસમાં ્સ્ઝ્ર અભિષેક બેનર્જીને મોટી રાહત મળી છે. વાસ્તવમાં, ઈડ્ઢએ સુપ્રીમ કોર્ટને ખાતરી આપી છે કે ૧૦ જુલાઈ સુધી તેમને કોઈ સમન્સ આપવામાં આવશે નહીં. સુપ્રીમ કોર્ટમાં અભિષેક બેનર્જીના વકીલ કપિલ સિબ્બલે કહ્યું કે તેઓ ડાયમંડ હાર્બરથી લોકસભા ચૂંટણી લડવાના છે. તેમના મતવિસ્તાર માટે ૧ જૂનના રોજ મતદાન થશે અને તેથી તેમણે પ્રચારમાં ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે.
આ પછી, સુપ્રીમ કોર્ટે ઈડી કેસને રદ કરવાની માંગ કરતી અરજી પર સુનાવણી ૧૦ જુલાઈ સુધી ટાળી દીધી છે. સુપ્રીમના આદેશમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની દલીલ પણ નોંધવામાં આવી છે, જેમાં તેમણે કહ્યું છે કે ત્યાં સુધી બેનર્જીને સમન્સ મોકલવામાં આવશે નહીં.
તમને જણાવી દઈએ કે ૧૦ જુલાઈ, ૨૦૨૩ના રોજ સુપ્રીમ કોર્ટે શિક્ષક ભરતી કૌભાંડમાં ટીએમસી નેતા અભિષેક બેનર્જીને રાહત આપવાનો ઈન્કાર કરી દીધો હતો અને કેસને રદ્દ કરવાની તેમની અરજીને ફગાવી દીધી હતી. કોર્ટના આ નિર્ણય બાદ શિક્ષક ભરતી કૌભાંડમાં અભિષેક બેનર્જી વિરુદ્ધ ઈડ્ઢની તપાસ ચાલી રહી છે. આ મામલામાં સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે તે તપાસમાં અવરોધ નહીં મૂકે.
તૃણમૂલ કોંગ્રેસના સાંસદ અભિષેક બેનર્જી ૯ નવેમ્બર, ૨૦૨૩ના રોજ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) સમક્ષ હાજર થયા હતા અને પશ્ચિમ બંગાળમાં કથિત શાળા નોકરી કૌભાંડની ચાલી રહેલી તપાસ સાથે સંબંધિત તપાસ એજન્સીના પ્રશ્નોના જવાબો સાથે સહાયક દસ્તાવેજા રજૂ કર્યા હતા, જેની રકમ આશરે છે. ૬,૦૦૦ પાના હતા.