ગત જૂનમાં જમ્મુ-કાશ્મીરના રિયાસીમાં વૈષ્ણો દેવી જતા શ્રદ્ધાળુઓની બસ પર આતંકી હુમલો થયો હતો. આ આતંકવાદી ઘટનામાં ૯ શ્રદ્ધાળુઓના મોત થયા હતા અને ૪૧ લોકો ઘાયલ થયા હતા. હવે એનઆઇએએ આ મામલે મોટી કાર્યવાહી કરી છે. મળતી માહિતી મુજબ, એનઆઇએએ ટેરર ફંડિંગના મામલામાં રાજ્યમાં ૭ સ્થળો પર દરોડા પાડ્યા છે. જેમાં શિવ ઘોડી મંદિરથી પરત ફરી રહેલા શ્રદ્ધાળુઓની બસ પર આતંકવાદી હુમલાનો મામલો પણ સામેલ છે.
એનઆઇએએ જમ્મુ-કાશ્મીરના રાજૌરી અને રિયાસી જિલ્લામાં અનેક સ્થળોએ દરોડા પાડ્યા હતા. અધિકારીઓએ કહ્યું છે કે શિવ ઘોડી આતંકી હુમલાના સંદર્ભમાં શુક્રવાર સવારથી રાજૌરી અને રિયાસી જિલ્લામાં અનેક ટીમો દરોડા પાડી રહી છે. તેમણે કહ્યું કે એનઆઇએનું ઓપરેશન હજુ ચાલુ છે અને આ મામલે વધુ માહિતીની રાહ જાવાઈ રહી છે.
૯ જૂને આતંકવાદીઓએ વૈષ્ણોદેવી જઈ રહેલા ભક્તોથી ભરેલી બસ પર હુમલો કરીને ગોળીબાર કર્યો હતો. આ આતંકવાદી હુમલામાં સાત શ્રદ્ધાળુઓ સહિત નવ લોકો માર્યા ગયા હતા અને ૪૧ અન્ય ઘાયલ થયા હતા. શિવ ઘોડી મંદિરથી કટરા જતી બસ અંધાધૂંધ ગોળીબારના કારણે રિયાસીના પૌની વિસ્તારના તેરાયથ ગામ પાસે રોડ પરથી લપસી ગઈ અને ઊંડી ખાઈમાં પડી ગઈ. ગૃહમંત્રી અમિત શાહે ૧૭ જૂને આ આતંકી હુમલાની તપાસની જવાબદારી એનઆઇએને સોંપી હતી.
અત્યાર સુધી, રાજૌરીના એક વ્યક્તિ હકમ ખાન, જેણે કથિત રીતે આતંકવાદીઓને ખોરાક, આશ્રયસ્થાન અને લોજિસ્ટિક્સ પૂરા પાડ્યા હતા અને હુમલા પહેલા વિસ્તારની જાસૂસીમાં મદદ કરી હતી, તેની રિયાસીમાં યાત્રાળુઓની બસ પર આતંકવાદી હુમલાના સંબંધમાં ધરપકડ કરવામાં આવી છે. મદદ કરી છે.
અગાઉ ૩૦ જૂને એનઆઇએએ રાજૌરીમાં હાઇબ્રિડ આતંકવાદીઓ અને તેમના ઓવરગ્રાઉન્ડ કામદારો સાથે જાડાયેલા પાંચ સ્થળો પર દરોડા પાડ્યા હતા. હાઇબ્રિડ આતંકવાદીઓને શોધવા મુશ્કેલ છે કારણ કે તેઓ સામાન્ય લોકોમાં સામાન્ય જીવન જીવે છે અને તેમનો ગુનાહિત રેકોર્ડ નથી જ્યારે ઓવરગ્રાઉન્ડ વર્કર્સ તે વ્યક્તિઓ છે જે આતંકવાદી સંગઠનો માટે ગુપ્ત રીતે કામ કરે છે.