વેરાવળ હોમગાર્ડ યુનિટના ઇન્ચાર્જ અધિકારી રણજીત જી. પિલ્લાઈને સરાહનીય કામગીરી કરવા બદલ જિલ્લા કલેકટર દિગ્વિજયસિંહ જાડેજા, ગીર-સોમનાથ એસ.પી મનોહરસિંહ જાડેજા, જિલ્લા હોમગાર્ડઝ કમાન્ડન્ટ વિજયભાઈ ઠાકરની ઉપસ્થિતિમાં વેરાવળ યુનિટમાં શ્રેષ્ઠ અને સરાહનીય કામગીરી કરવા બદલ રણજીત જી. પિલ્લાઈનું ૧૫ ઓગસ્ટના પર્વે કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરીયા દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.