દરિયામાં માછીમારને અચાનક છાતીમાં અસહ્ય દુઃખાવો થતા જહાજના કેપ્ટને ભારતીય નેવી કોસ્ટગાર્ડને અને ઈમરજન્સી સર્વિસ ૧૦૮ને ફોન કરી સમગ્ર ઘટનાથી વાકેફ કર્યા હતા. કોલરનો કોલ મળતા વેરાવળ ૧૦૮ ટીમના ઈ.એમ.ટી. ગોવિંદા ભગત અને પાયલોટ ભરત બાંભણિયા ૧૦૮ એમ્બ્યુલન્સ સાથે તરત જ ભારતીય નેવી કોસ્ટગાર્ડ ઓફિસ ખાતે પહોંચ્યા હતા. જે પછી તરત જ દર્દીને કિનારે લાવવામાં આવ્યો ત્યારે ઘણો સમય પસાર થઈ ગયો હતો. તેથી ઇ.એમ.ટી. ગોવિંદા ભગતે તાત્કાલિક પ્રાથમિક તપાસ કરી હતી.