ગ્રાહક તકરાર નિવારણ આયોગે બજાજ આલિયાન્ઝ જનરલ ઈન્સ્યોરન્સ કંપનીને અકસ્માતમાં નુકસાન પામેલી મર્સિડિઝ કારના ક્લેમને ખોટી રીતે નકારવા બદલ રૂપિયા ૧૭,૫૦,૦૦૦ વ્યાજ સાથે ચૂકવવાનો આદેશ આપ્યો છે. અશોકભાઈ રાઠોડની કારને ઘેલા સોમનાથથી જસદણ પરત ફરતી વખતે કાળાસર ગામ પાસે અકસ્માત થયો હતો. વીમા કંપનીએ મિસ રિપ્રેઝેન્ટેશનનું કારણ આપી ક્લેમ નામંજૂર કર્યો હતો. ગ્રાહક આયોગે ફરિયાદીના વકીલની દલીલો અને પુરાવાને ધ્યાને લઈ વીમા કંપનીને ૬% વ્યાજ સાથે વળતર ચૂકવવા હુકમ કર્યો છે. આ કેસમાં ફરિયાદી વતી એડવોકેટ વિરમ ધ્રાંગીયા અને યશ ડોડીયા હાજર રહ્યા હતા.