વિશ્વશાંતિ વિશ્વ પદયાત્રા ટીમના સભ્યો અમરેલી જિલ્લાની મુલાકાતે આવ્યા હતા. આ ટીમના સભ્યોએ અમરેલી જિલ્લા સેવા સદન ખાતે મુલાકાત લીધી હતી. અમરેલી જિલ્લા નિવાસી અધિક કલેક્ટરે ટીમના સર્વ સભ્યોનું અભિવાદન કર્યુ હતું. વિશ્વશાંતિ વિશ્વ પદયાત્રા ટીમના સભ્યો દ્વારા કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા પર્યાવરણ અને જળ સંરક્ષણ, સ્વચ્છતા અભિયાન, પર્વત અને નદી સંરક્ષણ, બેટી બચાઓ, બેટી પઢાઓ યોજના, માર્ગ સલામતી અને સુરક્ષા, વન્ય જીવ સંરક્ષણ સહિતની વિવિધ યોજનાઓ અંગે જનજાગૃતિ વધારવાના પ્રયાસો કરવામાં આવે છે. અમરેલી ખાતે પણ આ ટીમના સર્વ સભ્યોએ સરકારની વિવિધ યોજનાઓને લઈને સંદેશ પ્રસરાવ્યો હતો. અવધ બિહારી લાલ, જિતેન્દ્ર પ્રતાપ, મહેન્દ્ર પ્રતાપ સહિતના સભ્યોએ એડવેન્ચર્સ અન્તર્વેદ સ્પોટ્‌ર્સ લોન્ગેસ્ટ વર્લ્ડ ટુર ઓન ફૂટ જર્ની શરૂ કરી હતી. આ ટીમના ૨૦ સભ્યો છે. આ ટીમ દ્વારા શહેરોમાં શાળાઓ અને જાહેર સ્થળોએ જનજાગૃતિ અભિયાન ચલાવવામાં આવે છે.