વિરાટ કોહલી આઇપીએલમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનો સૌથી મોટો ખેલાડી છે.આઇપીએલમાં તેની શરૂઆતથી, વિરાટ ફક્ત એક જ ફ્રેન્ચાઇઝી, આરસીબી માટે રમ્યો છે. તેમણે ઘણા વર્ષો સુધી ફ્રેન્ચાઇઝની કેપ્ટનશીપ પણ કરી. દરમિયાન, આગામી આઇપીએલ સીઝન પહેલા, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના ક્રિકેટ ડિરેક્ટર મો બોબાટે સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીની પ્રશંસા કરી છે. વિરાટની ૧૮ વર્ષની શાનદાર સફરને સલામ કરતાં તેમણે કહ્યું કે તે હંમેશા ફ્રેન્ચાઇઝ માટે એક આઇકોન અને હીરો રહેશે.
આરસીબી પોડકાસ્ટમાં, બોબાટે કહ્યું કે વિરાટ કોહલી હંમેશા ટીમનો ‘આઇકોન’ અને હીરો રહેશે. તે ક્્યારેય બદલાશે નહીં, અને તે તેના લાયક છે. તેનો રેકોર્ડ પ્રભાવશાળી છે. તેમણે કહ્યું, “મને યાદ છે કે ગયા વર્ષે, હું તેના આંકડા જાઈ રહ્યો હતો જ્યારે તે લગભગ ૯,૦૦૦ રન સુધી પહોંચ્યો હતો, અને તે પણ ૧૮ વર્ષ સુધી એક જ ટીમની જર્સી પહેર્યા પછી. તે પ્રતિ સીઝન આશરે ૫૦૦ રન છે.” બોબાટે કહ્યું, “આ ખરેખર એક અવિશ્વસનીય રેકોર્ડ છે.” કેટલાક ખેલાડીઓ સાત વર્ષથી એક જ ૫૦૦ રનની સિઝનથી ખુશ છે. તે ૧૮ વર્ષથી દરેક સિઝનમાં સરેરાશ ૫૦૦ રન બનાવી રહ્યો છે. આ ખરેખર આશ્ચર્યજનક છે. તેને અવગણી શકાય નહીં.
બોબટે વધુમાં કહ્યું કે ટીમ તેમની આસપાસ સારા ખેલાડીઓ ઇચ્છે છે કારણ કે તેઓ જીતવા માંગે છે. તેઓ વિજેતા છે. ઇઝ્રમ્ એ રજત પાટીદારની કેપ્ટનશીપ હેઠળ ટાઇટલ જીત્યું હતું, જેમણે આઇપીએલ ૨૦૨૫ પહેલા ભૂમિકા સંભાળી હતી. આગામી આઇપીએલન્ સીઝન અંગે, બોબટે કહ્યું કે આરસીબી-સતત બીજી ટાઇટલ જીતવાના લક્ષ્ય સાથે ટુર્નામેન્ટમાં પ્રવેશ કરશે. તેમણે કહ્યું, “અમે ડીફેન્ડીંગ ચેમ્પ્યન નથી. અમે કંઈપણ ડીફેન્ડીંગ ચેમ્પ્યન નથી. અમે ડીફેન્ડીંગ ચેમ્પ્યન હોઈ શકીએ છીએ, પરંતુ અમારો અભિગમ ડીફેન્ડીંગ રહેશે નહીં. અમે આક્રમક રહીશું. અમે કંઈક નવું હાંસલ કરવાનો પ્રયાસ કરીશું. અમે સતત બે ટાઇટલ જીતવા માંગીએ છીએ.”
આઇપીએલ ૨૦૨૬ પહેલા, બોબટે સ્પષ્ટ કર્યું કે ટીમ “ડીફેન્ડીંગ ચેમ્પ્યન ” માનસિકતા સાથે નહીં રમે. તેમણે કહ્યું કે તેઓ કોઈ પણ વસ્તુનો બચાવ કરવા નહીં, પરંતુ કંઈક નવું હાંસલ કરવા જઈ રહ્યા છે. બોબેટે એ પણ ખુલાસો કર્યો કે તેમણે અને એન્ડી ફ્લાવરે ૨૦૨૪ સીઝન પછી લંડનમાં કોહલી સાથે કેપ્ટનશીપ અંગે ચર્ચા કરી હતી. તેમણે કહ્યું કે વિરાટ હંમેશા નેતૃત્વ કરવા માટે તૈયાર છે, પરંતુ અમને લાગ્યું કે ફ્રેન્ચાઇઝીના ભવિષ્યને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવો મહત્વપૂર્ણ છે. અમે હંમેશા વિરાટ પર આધાર રાખી શકતા નથી. તેમણે તરત જ આ સમજી લીધું અને ટીમના હિતોને પ્રાથમિકતા આપી.












































