જુલાના વિધાનસભા બેઠક પરથી કોંગ્રેસના વિનેશ ફોગાટ ૬૦૧૫ મતોની લીડથી જીત્યા છે. તેમને કુલ ૬૫૦૮૦ વોટ મળ્યા, જ્યારે ભાજપના કેપ્ટન યોગેશ બૈરાગીને ૫૯૦૬૫ વોટ મળ્યા. વિનેશ ફોગટની આ જીતને વિસ્તારમાં કોંગ્રેસ માટે મોટી સફળતા માનવામાં આવી રહી છે, કારણ કે તેણે ભાજપના મજબૂત ઉમેદવારને ટક્કર આપીને આ જીત હાંસલ કરી છે. અન્ય મુખ્ય ઉમેદવારો આઈએનએલડીના સુરેન્દ્ર લાથેરઃ ૧૦૧૫૮ મતો મળ્યા છે,જેજેપીના અમરજીત ધંડાઃ ૨૪૭૭ વોટ,આપ કી કવિતા રાનીઃ ૧૨૮૦ મત મળ્યા છે. આ ચૂંટણી જીત સાથે, વિનેશ ફોગાટે તેની રાજકીય કારકિર્દીમાં એક નવો અધ્યાય ઉમેર્યો છે, જે પાર્ટી માટે એક મહત્વપૂર્ણ સફળતા તરીકે ઉભરી આવ્યો છે. મત ગણતરીના અંતિમ પરિણામોની રાહ જાવામાં આવી રહી છે, જે સ્પષ્ટ કરશે કે તેણી તેના પ્રતિસ્પર્ધીઓને પાછળ છોડી શકશે અને વિજય સાથે તેની સ્થીતિ મજબૂત કરી શકશે.
જીંદના જુલાનામાં જાટ વિરુદ્ધ બ્રાહ્મણ વચ્ચે હરીફાઈ થઈ છે. ગત વખતે ૨૫ હજાર મતોથી જીતનાર કોંગ્રેસે આ વખતે ઓલિમ્પીયન વિનેશ ફોગટને ઉમેદવાર બનાવ્યા છે. કોંગ્રેસ વિનેશના જાટ ચહેરા અને સેલિબ્રિટી સ્ટેટસનો ફાયદો ઉઠાવવા માંગે છે. બીજી તરફ ભાજપે યોગેશ બૈરાગીને મેદાનમાં ઉતારીને ઓબીસી મતો આકર્ષવાનો પ્રયાસ કર્યો છે.
હરિયાણા ચૂંટણીમાં વિનેશ ફોગાટે જીત્યા બાદ કહ્યું, હું કોંગ્રેસ પાર્ટીનો વિશ્વાસ જાળવી રાખીશ. રાજકારણમાં સક્રિય હોવાના પ્રશ્ન પર વિનેશ ફોગાટે કહ્યું કે જા હું રાજકારણમાં આવી છું તો મારે સક્રિય રહેવું પડશે. લોકોએ પ્રેમ આપ્યો છે. તેમના માટે કામ કરવું પડશે. હું મેદાનમાં જઈને લોકો માટે કામ કરીશ. હું શક્ય તેટલું સ્પોર્ટ્સ માટે કામ કરીશ. જા કે, હું એક ક્ષેત્ર સુધી મર્યાદિત રહીશ નહીં.
જયારે બ્રિજભૂષણ શરણ સિંહે વિધાનસભા ચૂંટણીના પરિણામો માટે હરિયાણાની જનતાનો આભાર માન્યો હતો. વિનેશનું નામ લીધા વિના તેણે કહ્યું કે હરિયાણાના પરિણામો દર્શાવે છે કે જે કુસ્તીબાજા જીતે છે તે હીરો નથી પરંતુ વિલન છે. વિનેશની જીતના સવાલ પર તેણે કહ્યું કે તે ખૂબ જ સારું થયું કે તે જીતી ગઈ. પરંતુ, કોંગ્રેસનો નાશ થયો.
હરિયાણાના પરિણામોને લઈને આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલનું નિવેદન પણ આવ્યું છે. તેમણે કોંગ્રેસ પર કટાક્ષ કર્યો છે. કેજરીવાલે કહ્યું કે ચૂંટણી પરિણામોનો સૌથી મોટો પાઠ એ છે કે ક્યારેય વધારે આત્મવિશ્વાસ ન હોવો જાઈએ. કોઈપણ ચૂંટણીને હળવાશથી લેવી જાઈએ નહીં. દરેક બેઠક મુશ્કેલ છે. વોટિંગ પહેલા દિલ્હીના પૂર્વ સીએમ અરવિંદ કેજરીવાલે મોટું નિવેદન આપ્યું હતું. તેમણે પોતાની રેલીઓમાં કહ્યું હતું કે આમ આદમી પાર્ટીના સમર્થન વિના હરિયાણામાં સરકાર નહીં બને.