વડીયાના દેવગામ ખાતે એક ખેડૂતના ઘર સહિત બે મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યા હતા. જેમાં કુલ ૨૪,૦૦૦ની ચોરી થઈ હતી.બનાવ અંગે મુકેશભાઈ સંતોષભાઈ મયાત્રા (ઉ.વ.૩૯)એ જાહેર કર્યા મુજબ, અજાણ્યા ચોર ઇસમ તેમના રહેણાંક મકાનની વંડી ટપી ઘરમાં પ્રવેશ કરી અને ઘરમાં રૂમનાં દરવાજા ખોલી રૂમમાં રાખેલા કોઠલા (અનાજ ભરવાની પેટી)માંથી રોકડ રૂ.૨૦,૦૦૦, બીજા રૂમમાં રહેલી તિજોરીના તાળા તોડી ચાંદીનું મંગળસુત્ર તથા પગમાં પહેરવાના ચાંદીના છડા મળી કુલ રૂ.૨૪,૦૦૦ની મત્તાની ચોરી કરી લઇ ગયો હતો.તેમજ બાજુમાં રહેતા સાહેદ ડાયાભાઇ ખીમાભાઇ મયાત્રાનાં બંધ મકાનનાં રૂમના દરવાજાનો નકુચા તોડી ત્યાં પણ ચોરી કરવાની કોશિષ કરી હતી.વડીયા પોલીસ સ્ટેશનના એએસઆઈ આર.જે. રાઠોડ વધુ તપાસ કરી રહ્યા છે.