અમરેલી જિલ્લાના છેવાડાના તાલુકા મથક એવા વડિયામાં આહિર ભેડા પરિવારના આંગણે પિતૃ મોક્ષાર્થે ૨૪થી ૩૦ એપ્રિલ સુધી શ્રીમદ્‌ ભાગવત જ્ઞાનયજ્ઞ સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વક્તા વાસુદેવભાઈ જોશી દ્વારા વ્યાસપીઠ પર બિરાજી ભાગવત જ્ઞાનનું લોકોને રસપાન કરાવાયું હતું.આ ભાગવત કથામાં શ્રી કપિલ જન્મ, શ્રી નૃસિંહ જન્મ, શ્રી વામન જન્મ, શ્રી રામ જન્મ, શ્રી કૃષ્ણ જન્મ, રુક્ષ્મણી વિવાહ અને પરીક્ષિત મોક્ષ જેવા ધાર્મિક પ્રસંગોની ઉજવણી કરાઈ હતી. આ કથામાં સામાજિક, રાજકીય આગેવાનો અને સ્થાનિક લોકોએ જોડાઈ પૂણ્યનું ભાથું બાંધ્યું હતું.