અમરેલી જિલ્લાના વડિયાથી ગોંડલ, રાજકોટ જવાનો મુખ્ય માર્ગ છેલ્લા ત્રણ વર્ષથી અતિ બિસ્માર હાલતમાં છે. રસ્તામાં મોટા મોટા ખાડામાંથી વાહનચાલકો, ખેડૂતો અને લોકો પસાર થતા હોવાથી છેલ્લા બે વર્ષમાં અહીં અનેક અકસ્માતો થયા છે. ચોમાસાની ઋતુમાં પણ અકસ્માતથી રસ્તો ચક્કા જામ થયો હતો ત્યારે સતત ત્રણ વર્ષથી આ બિસ્માર રસ્તા પર પસાર થઈ યાતના ભોગવતા લોકોએ સોશ્યલ મીડિયા અને પ્રેસ મીડિયા દ્વારા અનેકવાર આ બાબતે રાજકીય નેતાઓ અને તંત્રનું ધ્યાન દોર્યું હતું. આમ છતાં રસ્તાનું કામ શરૂ કરવામાં ન આવતા લોકોમાં રોષ ફેલાયો છે.