(એ.આર.એલ),નવીદિલ્હી,તા.૧૪
આજે, પંડિત જવાહરલાલ નેહરુની જન્મજયંતિના અવસરે, પીએમ મોદીએ એકસ પર પોસ્ટ કરીને તેમને શ્રદ્ધાંજલિ આપી. તેમણે પોતાની પોસ્ટમાં લખ્યું કે, ‘હું આપણા પૂર્વ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નેહરુને તેમની જન્મજયંતિના અવસર પર શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું.’ તમને જણાવી દઈએ કે પંડિત જવાહરલાલ નેહરુ, જેમને આધુનિક ભારતના સર્જક કહેવામાં આવે છે, તેઓ બાળકોને ખૂબ જ પસંદ કરતા હતા અને બાળકો તેમને ખૂબ જ પ્રેમથી ‘ચાચા નેહરુ’ કહેતા હતા. તેથી જ આપણે તેમની જન્મજયંતિને બાળ દિવસ તરીકે ઉજવીએ છીએ.
તમને જણાવી દઈએ કે ભારતના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નેહરુ, જેનો જન્મ ૧૪ નવેમ્બર ૧૮૮૯ના રોજ ઉત્તર પ્રદેશના અલ્હાબાદ (હાલ પ્રયાગરાજ)માં થયો હતો, તેઓને બાળકો ખૂબ જ પસંદ હતા. બાળકો પણ તેમને ખૂબ પસંદ કરતા અને પ્રેમથી તેમને ‘ચાચા નેહરુ’ કહીને બોલાવતા. આ જ કારણ છે કે ૧૪ નવેમ્બરને બાળ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આપણા દેશમાં ૧૯૬૪ પહેલા ૨૦મી નવેમ્બરે બાળ દિવસ મનાવવામાં આવતો હતો, પરંતુ પંડિત જવાહરલાલ નહેરુના અવસાન બાદ તેમના જન્મદિવસ એટલે કે ૧૪મી નવેમ્બરે બાળ દિવસ ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું હતું.