(એ.આર.એલ),વલસાડ,તા.૧૮
મહારાષ્ટના મુંબઈમાં એનસીપી નેતા અને સલમાન ખાનના મિત્ર બાબા સિદ્દીકીની હત્યા બાદ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ ચર્ચામાં આવ્યો છે. તેણે સિદ્દીકીની હત્યાની જવાબદારી લીધી છે. ત્યારે લોરેન્સ બિશ્નોઈનું એન્કાઉન્ટર કરનારને ૧ કરોડ ૧૧ લાખ ૧૧ હજાર ૧૧ રૂપિયાનું ઈનામ આપવાની જાહેરાત કરણી સેનાના રાજ શેખાવતે કરી હતી. ત્યારે હવે કરણી સેનાના રાજ શેખાવતની નવી જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે, ભારતમા કોઇને પણ લોરેન્સ બિશ્નોઇ ધમકી આપે તો અમારો સંપર્ક કરો, તેના માટે હેલ્પલાઇન નંબર ૭૫૬૭૬૮૧૧૧૧ જાહેર કર્યો છે. લોરેન્સ ગેંગ કે તેના સાગરીતો તેમને ધમકી આપો તો અમને સંપર્ક કરવો. અમે તેમનો હિસાબ કરીશું.
વલસાડ ખાતે કરણી સેના ના રાષ્ટય અધ્યક્ષ રાજ શેખાવતનું લોરેન્સ બિશ્નોઈને લઈ મોટું નિવેદન આવ્યું છે. તેમણે કહ્યું કે, લોરેન્સ બિશ્નોઇ કાયર છે એટલે જામીન અરજી મૂકતો નથી. જે દિવસે બહાર આવશે એ દિવસે ઠાર કરી દેશું. રાજ શેખાવતે લોરેન્સ બિશ્નોઇને એક આંતકવાદી સાથે સરખાવ્યો છે. સાથે જ જેલમાં સામાન્ય વ્યક્ત પાસે કોમ્યુનિકેશન માટે કોઈપણ સાધન હોતા નથી ત્યારે લોરેન્સ બિશ્નોઇ સામે કોમ્યુનિકેશનના સાધનો આવતા હોવાના આક્ષેપો કર્યા છે. આવા આતંકીઓનો ખાતમો કેન્દ્ર સરકાર કરે એવી માંગ રાજ શેખાવતે કરી છે.
રાજ શેખાવતે વધુમાં કહ્યું કે, બાબર સિદ્દીકીની હત્યા બાદ આ ભયનો માહોલ ઉભો થયો છે એનો ખાતમો સરકારે જ કરવો પડશે. જેલમાં બેસી હત્યા કરવી, ખંડણી વસુલવી, ડ્રગ્નો વેપાર કરવો એવા કર્યો લોરેન્સ બિશ્નોઇ કરે છે. હવે ગેરવસૂલી/ખંડણી/ખંડણીનો અંત લાવો – મદદ સંપર્ક નંબર ૭૫૬૭૬૮૧૧૧૧- જા લોરેન્સ ગેંગના માણસો ભારતના કોઈપણ નાગરિક પાસેથી ખંડણી/ખંડણી/ખંડણીની માંગણી કરે, તો અહીં આપેલા નંબરો પર તરત જ અમારો સંપર્ક કરવો, જેથી કરીને અમે આ લોકોને જડબાતોડ જવાબ આપી શકીએ અને તમારી સુરક્ષા પણ સુનિશ્ચિત કરી શકાય. આવો આપણે સૌ સાથે મળીને ભારતને ભયમુક્ત વર્ષ બનાવીએ. વીર ભોગ્યા વસુંધરા.
રાજ શેખાવત ઉર્ફે રાજેન્દ્ર શેખાવત ક્ષત્રય કરણી સેના પરિવારના રાષ્ટય અધ્યક્ષ છે. તેમણે વર્ષ ૨૦૨૪માં રાજસ્થાનની ઝુંઝુનુ લોકસભા બેઠક પરથી અપક્ષ તરીકે ચૂંટણી લડી હતી. જેમાં રાજ શેખાવતને ૭૬૯૦ વોટ મળ્યા હતા. તેઓ કોંગ્રેસના બ્રિજેન્દ્ર ઓલા સામે ૫૪૫૪૭૮ મતોથી ચૂંટણી હારી ગયા હતા. બીજેપીના સુભકરણ ચૌધરી બીજા ક્રમે હતા. રાજ શેખાવત ત્રીજા નંબરે હતા.તમને જણાવી દઈએ કે રાજ શેખાવતે વલસાડ મુલાકાત દરમિયાન લોરેન્સ બિશ્નોઈ અંગે ધમકી આપી હતી. લોરેન્સ બિશ્નોઈ પણ હાલમાં ગુજરાતની સાબરમતી જેલમાં બંધ છે. કરણી સેનાના પ્રમુખ રાજ શેખાવતે અગાઉ પણ ગુજરાતના વડોદરામાં લોરેન્સના એન્કાઉન્ટરની માંગણી કરી હતી.ખરેખર, લોરેન્સ બિશ્નોઈ ગેંગે ડિસેમ્બર ૨૦૨૩માં રાજસ્થાનના જયપુરમાં શ્રી રાષ્ટય રાજપૂત કરણી સેનાના રાષ્ટય અધ્યક્ષ સુખદેવ સિંહ ગોગામેડીની હત્યા કરી હતી. ત્યારથી રાજ શાખાવત લોરેન્સ ગેંગ પર નારાજ છે.