(એ.આર.એલ),કોલકતા,તા.૧
લોકસભા ચૂંટણી દરમિયાન સૌથી વધુ કેન્દ્રીય દળો પશ્ચિમમાં તૈનાત કરવામાં આવ્યા છે. સાતમા અને અંતિમ તબક્કાનું મતદાન આજે સમાપ્ત થયું છે હવે ૪ જૂને મતગણતરી થશે, પરંતુ ૪ જૂન પછી પણ કેન્દ્રીય દળના જવાનો રાજ્યમાં તૈનાત રહેશે. ચૂંટણી પછીની હિંસા ટાળવા માટે રાજ્યમાં ૪૦૦ કંપની દળો તૈનાત કરવામાં આવશે. વિપક્ષની માંગને ધ્યાનમાં રાખીને ચૂંટણી પંચ આટલી મોટી સંખ્યામાં ફોર્સ તૈનાત કરી રહ્યું છે. રાજ્યમાં ૬ જૂન સુધી એટલે કે પરિણામ જાહેર થયાના બે દિવસ સુધી ફોર્સ રહેશે.
૨૦૨૧ની વિધાનસભા ચૂંટણીની યાદો હજુ તાજી છે. ત્યારે બંગાળમાં મતદાનમાં એક પછી એક હિંસાના આરોપો લાગ્યા હતા. વિપક્ષનો આરોપ છે કે મતદાન સમાપ્ત થયા બાદ પાર્ટીના કાર્યકરો પર હુમલો કરવામાં આવ્યો હતો. કલકત્તા હાઈકોર્ટમાં પણ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. હાઈકોર્ટે ચૂંટણી પછીની હિંસાની સીબીઆઈ તપાસનો આદેશ આપ્યો હતો.
આ સાથે પશ્ચિમ બંગાળમાં પંચાયત ચૂંટણી અને મ્યુનિસિપલ ચૂંટણીઓમાં પણ ભારે હિંસા થઈ હતી. જાકે, આ લોકસભા ચૂંટણીમાં હિંસા પ્રમાણમાં ઓછી થઈ છે. ચૂંટણી હિંસામાં અત્યાર સુધીમાં માત્ર બે લોકોએ જીવ ગુમાવ્યા છે.
ચૂંટણી દરમિયાન હિંસાને ધ્યાનમાં રાખીને આ વખતે રાજ્યમાં સૌથી વધુ કેન્દ્રીય દળો તૈનાત કરવામાં આવ્યા હતા. હવે ચૂંટણી પછી પણ કેન્દ્રીય દળો રાજ્યમાં રહેશે. ૪૦૦ કંપની ફોર્સમાંની ૧૧૫ કંપનીઓ, ની ૧૧૮ કંપનીઓ,  ૭૧ કંપનીઓ, ૩૬ કંપનીઓ અને જીજીમ્ની ૬૦ કંપનીઓ તૈનાત રહેશે.
લોકસભા ચૂંટણીના છેલ્લા તબક્કા માટે બંગાળમાં કેન્દ્રીય દળોની કુલ ૯૬૭ કંપનીઓ અને ૩૩,૦૦૦ રાજ્ય પોલીસ કર્મચારીઓને તૈનાત કરવામાં આવશે. કોલકાતા પોલીસ કાર્યક્ષેત્રમાં કેન્દ્રીય દળોની ૨૪૬ કંપનીઓ અને ૧૧,૦૦૦ પોલીસ કર્મચારીઓ તૈનાત કરવામાં આવશે. તે જ સમયે, બસીરહાટ મતવિસ્તારમાં કેન્દ્રીય દળોની ૧૧૬ કંપનીઓ તૈનાત કરવામાં આવશે, જે આ વર્ષની શરૂઆતમાં સંદેશખાલી હિંસા પછી ચર્ચામાં આવી હતી.
કોલકાતા ઉત્તર મતવિસ્તારમાં ૬૬ મતદાન મથકોને સંવેદનશીલ જાહેર કરવામાં આવ્યા છે. કોલકાતા દક્ષિણમાં તેમની સંખ્યા ૧૧૭ અને જાદવપુરમાં ૩૨૩ છે. કોલકાતા ઉત્તર મતવિસ્તારમાં ૧,૮૬૯ મતદાન મથકો અને કોલકાતા દક્ષિણમાં ૨,૦૭૮ મતદાન મથકો છે.