નગરપાલિકા સહિતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો આવ્યા બાદ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને સાંસદ શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, અમે સ્વીકાર કરીએ છીએ કે, ગુજરાતમાં શહેરી વિસ્તારોમાં અમારું સંગઠન નબળું હતું. આજે જે યોજાઈ તે નગરપાલિકાઓની ચૂંટણીઓ ૨૦૧૮માં યોજાઈ હતી ત્યારે કોંગ્રેસ પક્ષના ૭૮ ધારાસભ્યો અને સાથી પક્ષના ૩ એમ મળીને ૮૧ ધારાસભ્યો હોવા છતાં જેના આજે પરિણામ જોઈ રહ્યા છીએ. એ જ નગરપાલિકાઓમાં ૨૦૧૮માં કોંગ્રેસ પક્ષની સ્થિતિ ખૂબ ખરાબ હતી. શહેરી વિસ્તારોમાં સંગઠનને મજબુત બનાવવા માટે છેલ્લા કેટલાક મહિનાઓ પહેલાં જ પક્ષના સિનિયર આગેવાનોને પ્રભારી તરીકેની જવાબદારી સોંપીને નગરોમાં અમે સંગઠન ઊભું કર્યું હતું અને પરિણામે ખૂબ મોટાપાયા પર કોંગ્રેસ પક્ષ દ્વારા આ ચૂંટણીઓ પંજાના નિશાન પર લડવામાં આવી.
જૂનાગઢ મનપામાં છેલ્લી ચૂંટણીમાં કોંગ્રેસના માત્ર એક કોર્પોરેટર ચૂંટાયા હતા, આ વખતે જૂનાગઢમાં ૧૧ કોર્પોરેટર ચૂંટાયા છે. એ પરિપ્રેક્ષ્ય માં કોંગ્રેસ માટે નિરાશાજનક પરિણામો નથી. જાફરાબાદ, લાઠી, રાજુલા સહિતની અનેક જગ્યાઓ પર કોંગ્રેસ માટે નિરાશાજનક છે, નગરપાલિકાઓ સ્થાનીક નેતાઓના આધારે લડવામાં આવતી હોય છે, અંબરીશ ડેર, જવાહર ચાવડા, હર્ષદ રીબડીયા સહિતના નેતાઓ જવાના કારણે જે તે નગરપાલિકાઓમાં નુકસાન થયું. કેટલીક જગ્યાઓ પર કોંગ્રેસે નહીં લડી અપક્ષ સાથે ગયા હતા. આંકલાવમાં કોંગ્રેસ સમર્થિત પેનલનો વિજય થયો છે, કોંગ્રેસ માટે પરિણામો નિરાશાજનક નથી, પરંતુ ચિંતાજનક જરૂર છે, નગરપાલિકા વિસ્તારમાં કોંગ્રેસ વધુ મહેનત કરવાની જરૂર છે.
લોકશાહીમાં જે માન્ય નથી એવા અનેક પ્રકારના કાવતરા છતાં કોંગ્રેસ પક્ષના ઉમેદવારો વેચાયા નહીં કે ડર્યા નહીં અને મક્કમતાથી લડ્યા એ અભિનંદનને પાત્ર છે. કેટલીક જૂજ જગ્યાઓ પર ભાજપના દબાણો, ગુંડાગર્દી, તંત્રનો દુરુઉપયોગ અને મોટી લાલચોના કારણે ફોર્મ પાછા ખેંચાયા હતા. અનેક જગ્યાઓ પર ભાજપ દ્વારા કોંગ્રેસના ઉમેદવારોને ખરીદવાના, ડરાવવાના વિડીયો સામે આવ્યા હતા, જે આપણે સહુએ જોયા છે.
એઆઇએમઆઇએમ પાર્ટીના ઉમેદવારોના ફોર્મ ભાજપે આપ્યા હતા, સમાન્ય સંજાગોમાં આમને સામને જોવા મળતા આપ-ભાજપ સાથે હતા, એઆઇએમઆઇએમ ઉમેદવારોના ક ફોર્મ રજૂ થયા ના હતા, પણ ભાજપે માન્ય રખાવ્યા, કોંગ્રેસની રહી ગયેલી ખામીઓ માટે પ્રદેશ પ્રમુખ તરીકે મારી જવાબદારી સ્વીકારું છું, કોગ્રેસ કાર્યકરોએ બુથ પેજ સુધી જવાની મહેનત કરવાની છે, કોગ્રેસના કાર્યકર્તા અનેક મોરચે લડ્યા છે, ૨૦૨૭ માટેની તૈયારીઓ સાથે આગામી વર્ષે અને સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે અત્યારથી તૈયારી કરીશું
દરમિયાન કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ પ્રતિક્રિયા આપી છે. એમણે જણાવ્યું કે, “પ્રતિસાદ સ્વીકાર્ય છે અને અમે પરિણામોની સમીક્ષા કરીશું. જનતાનો જે પણ જનાદેશ છે, તે અમે સ્વીકારીએ છીએ. અમારી ભૂલોનો સુધારો કરવાનો છે, તે અમે સુધારીને આગળ વધીશું.”
અમિત ચાવડાએ આ અવસર પર એવી વાતો પણ કરી હતી કે, “આગામી દિવસોમાં બજેટ સત્ર ચાલી રહ્યું છે, ત્યારે વિપક્ષને બોલવાનો પૂરતો સમય મળી રહે તે માટે અમે માંગણી કરી છે.” તેમણે સરકારને અનુકૂળ સુઝાવ આપ્યા અને ગુજરાતના વિવિધ મુદ્દાઓ ઉપર ચર્ચા કરવાની જરૂરિયાત જણાવી.
આ ઉપરાંત, તેમણે રાજ્યના જનજીવનની સમસ્યાઓ પર પણ ધ્યાન કેન્દ્રિત કર્યું. મોંઘવારી, ખેડૂતોની આર્થિક તંગી, અને ભરતી પ્રક્રિયામાં ખોટા ફૂટ વગેરે મુદ્દાઓનું ઉલ્લેખ કર્યાં છે. અમિત ચાવડાએ કહ્યું કે, “અમે આ સમસ્યાઓ પર ગંભીરતાપૂર્વક ચર્ચા કરીશું અને યોગ્ય કાર્યવાહી કરીશું.” ઉપરાંત, તેમણે કહ્યું કે, “આ પરિણામો અમારા માટે પ્રેરણા બની રહેશે અને અમે તેમનો સકારાત્મક ઉપયોગ કરી, ફરીથી ભવિષ્યમાં વધુ મજબૂતી સાથે સમક્ષ આવશે.”