લીલીયા મોટા બ્રહ્મ પરિવાર દ્વારા આગામી દિવસોમાં આવનાર ભગવાન શ્રી પરશુરામ જયંતીની ઉજવણી ન કરી ને માત્ર પહેલગામમાં શહીદ થયેલ પર્યટકોને શ્રધાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ યોજવામાં આવશે જેની જાહેરાત લીલીયા મોટા બ્રહ્મસમાજ પ્રમુખ કિશોરભાઈ પાઠક તેમજ યુવા બ્રહ્મસમાજ પ્રમુખ જયેશ મહેતા દ્વારા કરવામાં આવેલ છે. તાજેતરમાં જમ્મુ કશ્મીરના પહલગામમાં નિર્દોષ નાગરિકો પર થયેલ ભયાનક આતંકી હુમલામાં ૨૬ જેટલા લોકો શહીદ થયા છે જે આતંકી હુમલાનું કૃત્ય સમગ્ર માનવ સમાજ માટે ઘાતક અને અમાનવીય છે. શહીદ થયેલા લોકોને શ્રધ્ધાંજલિ અર્પણ કરવાના ભાવથી તા. ર૯/૦૪ ના રોજ ભગવાન શ્રી પરશુરામના જન્મોત્સવ નિમિત્તે રાખેલ શોભાયાત્રા તથા સમૂહભોજનનો કાર્યક્રમ રદ કરવામાં આવેલ છે. જેમાં તા.૨૯/૦૪ના રોજ સાંજના ૬ઃ૩૦ કલાકે ગાયત્રી મંદિર લીલીયા મુકામે પરશુરામ દાદાની આરતી કરવામાં આવશે. ત્યારબાદ સાંજના ૭ઃ૦૦ કલાકે પહેલગામ આતંકી હુમલાના શહીદોને શ્રધ્ધાંજલિ આપવામાં આવશે.