લીલીયા મોટા પોલીસ સ્ટેશનના નવ નિયુક્ત પી.આઇ. આઇ.જે. ગીડાએ દશેરાના પર્વ નિમિત્તે શસ્ત્રપૂજા કરી હતી. શાસ્ત્રોક્ત વિધિ દ્વારા શસ્ત્રોની પૂજા કરવામાં આવી હતી. જેને આયુધ પૂજા તરીકે પણ ઓળખવામાં આવે છે, તે એક હિન્દુ
ધાર્મિક વિધિ છે જ્યાં જ્ઞાન અને શક્તિના પ્રતીકો તરીકે શસ્ત્રો અને સાધનોની પૂજા કરવામાં આવે છે. લીલીયા મોટા પોલીસ સ્ટેશન ખાતે P.I આઈ.જે. ગીડા સહિત પોલીસ કર્મીઓ દ્વારા વિધિવત રીતે શસ્ત્રપૂજન કરવામાં આવ્યું હતું.