લીલીયાના ગોઢાવદર રામજી મંદિર યુવક મંડળ અને શ્રી ખોડિયાર યુવક મંડળ દ્વારા રાસ ગરબાની રમઝટ બોલાવવામાં આવી હતી. તેમાં ખેલૈયા ઝૂમી ઉઠ્‌યા હતા. ખેલૈયાઓ અને નાની બાળાઓએ સરસ મજાના રાસ લીધા હતા. ખોડિયાર મંડળ દ્વારા બાળકોને અને રામજી મંદિર દ્વારા બાલિકાઓને સરસ મજાની ભેટ આપવામાં આવી હતી. રામજી મંદિરના પૂજારી હસમુખ બાપુ, સંકટ મોચન હનુમાનજી મંદિરના બાલકદાસ બાપુ, પ્રેમ ધામ આશ્રમના નુરી બાપુના હસ્તે ભેટનું વિતરણ કરવામાં આવ્યું હતું.