લીલીયા તાલુકાના અંટાળેશ્વર મહાદેવ મંદિરે દિવ્ય અન્નકૂટ મહોત્સવ ભવ્ય રીતે યોજાયો હતો. કૈલાશપતિ શ્રી અંટાળેશ્વર મહાદેવ મંદિરની પરંપરા અનુસાર આ વર્ષે સવંત ૨૦૮૧ કારતક સુધી ૧ને તા. ૨.૧૧.૨૦૨૪ શનિવારના રોજ ભાવિક ભક્તોની ભીડ સાથે ઉત્સવ યોજાયો હતો. આ ૮૦૦ વર્ષ પુરાણા મંદિરમાં લોકો આસ્થા ધરાવે છે. સ્વયંભુ શ્રી અંટાળેશ્વર મહાદેવ ભોળાનાથ સૌની મનોકામના પૂર્ણ કરે છે. આ પ્રસંગે ટ્રસ્ટ મંત્રી વિઠ્ઠલભાઈ માંદળીયા, સુરેશભાઈ રૂપારેલીયા, હિંમતભાઈ કાવાણી, ઘનશ્યામભાઈ લાંભિયા, ટ્રસ્ટીઓ, સેવક ગણ અને ધર્મ પ્રેમી ભાઈઓ તથા બહેનોએ બહોળી સંખ્યામાં અન્નકૂટ મહાપ્રસાદનો લાભ લીધો હતો તેવું ઘનશ્યામભાઈની યાદી જણાવે છે.