લીલીયાના પીપળવા ગામે પતિના ત્રાસથી કંટાળી પત્નીએ કપાસમાં છાંટવાની ઝેરી દવા પીધી હતી. બનાવ અંગે સોનલબેન મનોજભાઈ ગાયજન (ઉ.વ.૩૨)એ જાહેર કર્યા મુજબ, તેમના પતિ મનોજભાઈ અમૃતભાઈ ગાયજન છેલ્લાં પાંચ વર્ષથી શારીરિક તથા માનસિક ત્રાસ આપતા હતા. પાંચેક દિવસ પહેલા ગાળો આપી ઝઘડો કર્યો હતો. જેથી તેમણે ગઘડો નહીં કરવાનું સમજાવતાં આરોપીએ ઉશ્કેરાઈ જઈ માર માર્યો હતો તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. પતિના ત્રાસથી કંટાળી તેમણે કપાસમાં છાંટવાની ઝેરી દવા પી લીધી હતી. લીલીયા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ સંજયભાઈ કનુભાઈ વધુ તપાસ કરી રહ્યા છે.