લીલીયાનાં પીએસઆઈ એસ.આર.ગોહીલની અમરેલી એલ.સી.બી.માં બદલી થતાં પીએસઆઈનો વિદાય સમારંભ યોજાયો હતો. પીએસઆઈને પોલીસ પરિવાર દ્વારા પુષ્પવર્ષા કરી મોમેન્ટો આપી વિદાઈ આપવામાં આવી હતી. આ તકે સરપંચ જીવનભાઈ વોરા સહિતનાં આગેવાનો હાજર રહ્યાં હતાં. પીએસઆઈએ પોતાના કાર્યકાળ દરમિયાન અનેક ગુનાઓ ઉકેલ્યા હતા.