લીલીયાના નાના કણકોટ ગામે વીજશોકથી પરિણીતાનું મોત થયું હતું. જેને લઈ પરિવારજનોમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. વાડીયાભાઇ કાથડભાઇ ખુમાણ (ઉ.વ.૫૭)એ જાહેર કર્યા મુજબ, પ્રેમીલાબેન જયરાજભાઇ કોટીલા (ઉ.વ.૩૦)નું વીજશોકથી મૃત્યુ થયું હતું. લીલીયા પોલીસ સ્ટેશનના એએસઆઈ સી બી ટીલાવત વધુ તપાસ કરી રહ્યા છે.