લાયન્સ કલબ ઓફ અમરેલી (સિટી), શ્રી ભુરખિયા હનુમાનજી ટ્રસ્ટ તથા શ્રી ભુરખીયા ચેરીટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે તેમજ રમાબેન અનિલભાઈ પારેખ પરિવાર – મુંબઇના આર્થિક સહયોગ દ્વારા અને સુદર્શન નેત્રાલયના સહયોગથી ૭૬મો વિનામૂલ્યે નેત્ર નિદાન અને નેત્રમણી આરોપણ કેમ્પ શ્રી ભુરખીયા હનુમાનજી મંદિર મુકામે યોજાયેલ હતો. આ કેમ્પમાં આંખના તમામ રોગોની તપાસ ડા. દર્શિતભાઈ ગોસાઇ દ્વારા કરવામાં આવી હતી. જરૂરિયાતમંદ દર્દીઓને મોતિયાના ટાંકા વગરના ઓપરેશન કરી નેત્રમણી આરોપણ કરી આપવામાં આવેલ હતી. તેમજ નેત્ર જાળવણી અને જાગૃતિ અંગેની પત્રિકાનું પણ વિતરણ કરવામાં આવેલ હતું. આ કેમ્પમાં ૧૧૯ દર્દીઓએ લાભ લીધો હતો. આ કેમ્પને સફળ બનાવવા માટે લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સિટી)ના ભદ્રેશસિંહ પરમાર, એમ.એમ.પટેલ, દિનેશભાઇ સોરઠીયા તેમજ સુદર્શન નેત્રાલય તરફથી ડા. દર્શિતભાઈ ગોસાઇ, શ્રી નિલેશભાઈ ભીલ, બહાદુરભાઈ ભટ્ટ વગેરે દ્વારા જહેમત ઉઠાવવામાં આવેલ હતી.