લાઠી વિસ્તારના ગ્રામ્ય કક્ષાના રસ્તા સુંદર અને રળિયામણાં બની રહે તે માટે લાઠી ધારાસભ્ય જનકભાઈ તળાવીયા અને સાંસદ ભરતભાઇ સુતરીયાએ સરકારમાં રજૂઆત કરી હતી. સરકારે લાઠી તાલુકાના ગામોના રસ્તા માટે મુખ્યમંત્રી ગ્રામ સડક યોજનામાંથી માતબર રકમ મંજૂર કરી છે. આ બંને લોકપ્રતિનિધિઓએ પોતાના મત વિસ્તારના રસ્તા તાત્કાલિક રિસરફેસ થાય તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને ખૂબ જ ભારપૂર્વક રજૂઆત કરેલ, જે અન્વયે રર ઓકટોબર ૨૦૨૪ ના રોજ સરકારના માર્ગ અને મકાન વિભાગ દ્વારા લાઠી તાલુકાના રામપર, નાના રાજકોટ, કરકોલીયા થઇને ચાવંડ તરફ જતાં રોડ માટે કુલ ૧૦ કિ.મી. સુધીના પાકા ડામર રોડને રિસરફેસ કરવા માટે રૂ. ૯ કરોડની રકમ મંજૂર કરી છે. આ રકમમાંથી લાઠી તાલુકાના રામપર, નાના રાજકોટ, કરકોલીયા થઇને ચાવંડ તરફ જતાં રોડને રિસરફેસ કરાશે, આ રિસરફેસીંગ કામગીરી સાથે સ્ટ્રેથનીંગની કામગીરી (પ્લાસ્ટીક વેસ્ટનો ઉપયોગ) તેમજ ગામતળ વિસ્તારમાં જરૂર જણાય ત્યાં સી.સી. રોડની કામગીરી પણ કરાશે.