લાઠીમાં રહેતો એક પુરુષ કેરી લેવા જાઉં છું તેમ કહીને ઘરેથી નીકળ્યા બાદ ફોન સ્વીચ ઓફ કરીને ક્યાંક ગુમ થઈ ગયો હતો. આ અંગે ભુપતભાઈ છગનભાઈ રીજીયા (ઉ.વ.૫૨)એ જાહેર કર્યા મુજબ, ભરતભાઈ છગનભાઈ રીજીયા (ઉ.વ.૪૫) તા. ૧૦/૦૪/૨૦૨૪ ના બપોરના આશરે બારેક વાગ્યાના અરસામાં ધોકડવા કેરી લેવા જાઉં છું તેવું કહીને પોતાનો મોબાઇલ ફોન સ્વીચ ઓફ કરીને કોઇને કાંઇ પણ કહ્યા વગર કયાંક જતો રહ્યો હતો. લાઠી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ કે.ડી.રાઠોડ વધુ તપાસ કરી રહ્યા છે.