ગુજરાત સરકારના નર્મદા જળ સંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ હેઠળ નાની સિંચાઈ યોજના અમલમાં છે. આ યોજના અંતર્ગત ગ્રામ્ય કક્ષાએ આવેલા તળાવો અને ચેકડેમોના કામો હાથ ધરવામાં આવી રહ્યા છે. લાઠી તાલુકાના ઠાંસા ગામે આવેલા તળાવના રિસ્ટોરેશન કામ માટે લાઠીના ધારાસભ્ય જનકભાઈ તળાવીયાની મહેનતના કારણે રૂ. ૨૬.૩૧ લાખની મંજૂરી મળી છે. ગુજરાત સરકારના સંબંધિત વિભાગ દ્વારા ૩૧ ઓગસ્ટ, ૨૦૨૪થી આ કામ માટે સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે. આ પ્રોજેક્ટ હેઠળ તળાવમાં જરૂરિયાત મુજબની તમામ રિપેરિંગની કામગીરી કરવામાં આવશે. રિપેરિંગ પછી, તળાવમાં વરસાદી પાણીનો સંગ્રહ વધુ પ્રમાણમાં થઈ શકશે. જનકભાઈ તળાવીયા, જેઓ લાઠી-બાબરા વિસ્તારના વિકાસ માટે સતત પ્રયત્નશીલ રહે છે, તેમણે આ પ્રોજેક્ટ માટે ગુજરાત સરકારને પત્ર પાઠવીને રજૂઆત કરી હતી. તેમની રજૂઆતના પરિણામે સરકારે આ કામગીરી માટે મંજૂરી આપી છે.