લાઠી તાલુકાના જરખીયા ગામે કાકડીયા પરિવાર દ્વારા કુળદેવી શ્રી ખોડીયાર માતાજી તેમજ પિતૃદેવો બેચરબાપા અને જસમતબાપા સહિતના દેવતાઓની નવનિર્મિત મંદિરમાં મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ પવિત્ર મહોત્સવ આગામી ૨૯ એપ્રિલથી ૧ મે સુધી ત્રણ દિવસ ચાલશે. કાર્યક્રમના પ્રથમ દિવસે બુધવારે ગણપતિ આવાહન પૂજા, અગ્નિ પ્રાગટ્ય, ભવ્ય શોભાયાત્રા અને જલયાત્રા યોજાશે. ત્યારબાદ ગ્રહ શાંતિ, પ્રાસાદ વાસ્તુ કુટીર હોમ અને ધાન્યાધિવાસ જેવા શાસ્ત્રોક્ત વિધિ-વિધાનો કરવામાં આવશે. બીજા દિવસે ગુરુવારે શ્રી સ્વપ્ન ન્યાધિવાસ અને ૧૦૮ ધારા મહા અભિષેક સાથે શિખર પૂજન અને શૈયાધિવાસ યોજાશે, જેમાં સમગ્ર ગ્રામજનો અને ભાવિક ભક્તો ઉત્સાહભેર જોડાશે.









































